Tuesday, May 5, 2026

કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, એરપોર્ટને ટક્કર મારે એવું વર્લ્ડ ક્લાસ બનશે રેલવે સ્ટેશન, જાણો સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વિકાસ માટે સતત બ્યુટીફિકેશન પર ખાસ કામો થઈ રહ્યા છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટ ને પણ ટક્કર મારે અને મુસાફરોને અગણિત સુવિધા મળે તે રીતે ડેવલપ કરાઈ રહ્યું છે. જ્યાં આલ્ફા વન મોલ કરતા પણ મોટું પાર્કિંગ બનશે તેમજ રેલવે- મેટ્રો અને બુલેટ રેન સહિત તમામ ટ્રાન્સપોટૅશન સુવિધા પણ એકબીજા સાથે કનેક્ટ હશે. જેથી મુસાફર સ્ટેશન બહાર નીકળ્યા વગર તમામ સુવિધાનો લાભ લઇ શકશે.

તમને જણાવી દઈએ કે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે એક અલગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેની એન્ટ્રી પણ અલગથી રાખવામાં આવશે. હાલના તમામ પ્લેટફોર્મમાં લિફ્ટ સિસ્ટમ છે. હવે તેની જગ્યાએ 8 લિફ્ટ અને 8 એસ્કેલેટર બનાવવામાં આવશે. કાલુપુર રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસ સહિતની તમામ વાહન પરિવહન વ્યવસ્થા પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

કાલુપુર, સરસપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાંથી અવર-જવર કરતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગામી 15 વર્ષ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં કાલુપુર બ્રીજથી સારંગપુર બ્રિજ સુધી હયાત રોડની ઉપર એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેથી મુસાફર બંને છેડે કોઈપણ વિક્ષેપ વગર આવ જા કરી શકશે. 2500 કરોડના ખચે અમદાવાદ અને 300 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે. કાલુપુર જેવા વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં વર્તમાન ટ્રાફિકને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે વર્ષ 2027 અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ખાતરી રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આપી છે.

કાલુપુર રેલવે સ્ટેશનમાં 90 હજાર ચોરસ મીટરના મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડી બનાવવામાં આવશે. તો સાત હજાર ચોરસ ફૂટ જેટલો ખૂલ્લો વિસ્તાર પેસેન્જરની અવર-જવર માટે રાખવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં ત્રણ હજાર કાર પાર્કિંગ, ચાર કાર લિફ્ટ સહિત કુલ 21 લિફ્ટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા ઉભી કરાશે. તો પાર્સલ સેવા માટે અલગ-અલગ વિભાગ બનાવવામાં આવશે.

રેલવે સ્ટેશનમાં વીજળીની જરૂરીયાત માટે સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા, મુસાફરોની સલામતી માટે સીસીટીવી કેમેરા વિકસાવવામાં આવશે. એટલે કે આગામી ત્રણ વર્ષમાં અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવાનો છે. આ કામ જૂન 2027 સુધી પૂર્ણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...