Monday, January 19, 2026

કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, એરપોર્ટને ટક્કર મારે એવું વર્લ્ડ ક્લાસ બનશે રેલવે સ્ટેશન, જાણો સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વિકાસ માટે સતત બ્યુટીફિકેશન પર ખાસ કામો થઈ રહ્યા છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટ ને પણ ટક્કર મારે અને મુસાફરોને અગણિત સુવિધા મળે તે રીતે ડેવલપ કરાઈ રહ્યું છે. જ્યાં આલ્ફા વન મોલ કરતા પણ મોટું પાર્કિંગ બનશે તેમજ રેલવે- મેટ્રો અને બુલેટ રેન સહિત તમામ ટ્રાન્સપોટૅશન સુવિધા પણ એકબીજા સાથે કનેક્ટ હશે. જેથી મુસાફર સ્ટેશન બહાર નીકળ્યા વગર તમામ સુવિધાનો લાભ લઇ શકશે.

તમને જણાવી દઈએ કે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે એક અલગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેની એન્ટ્રી પણ અલગથી રાખવામાં આવશે. હાલના તમામ પ્લેટફોર્મમાં લિફ્ટ સિસ્ટમ છે. હવે તેની જગ્યાએ 8 લિફ્ટ અને 8 એસ્કેલેટર બનાવવામાં આવશે. કાલુપુર રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસ સહિતની તમામ વાહન પરિવહન વ્યવસ્થા પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

કાલુપુર, સરસપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાંથી અવર-જવર કરતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગામી 15 વર્ષ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં કાલુપુર બ્રીજથી સારંગપુર બ્રિજ સુધી હયાત રોડની ઉપર એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેથી મુસાફર બંને છેડે કોઈપણ વિક્ષેપ વગર આવ જા કરી શકશે. 2500 કરોડના ખચે અમદાવાદ અને 300 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે. કાલુપુર જેવા વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં વર્તમાન ટ્રાફિકને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે વર્ષ 2027 અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ખાતરી રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આપી છે.

કાલુપુર રેલવે સ્ટેશનમાં 90 હજાર ચોરસ મીટરના મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડી બનાવવામાં આવશે. તો સાત હજાર ચોરસ ફૂટ જેટલો ખૂલ્લો વિસ્તાર પેસેન્જરની અવર-જવર માટે રાખવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં ત્રણ હજાર કાર પાર્કિંગ, ચાર કાર લિફ્ટ સહિત કુલ 21 લિફ્ટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા ઉભી કરાશે. તો પાર્સલ સેવા માટે અલગ-અલગ વિભાગ બનાવવામાં આવશે.

રેલવે સ્ટેશનમાં વીજળીની જરૂરીયાત માટે સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા, મુસાફરોની સલામતી માટે સીસીટીવી કેમેરા વિકસાવવામાં આવશે. એટલે કે આગામી ત્રણ વર્ષમાં અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવાનો છે. આ કામ જૂન 2027 સુધી પૂર્ણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...