Sunday, January 25, 2026

અમદાવાદના કાંકરિયામાં ફરી અટલ એકસપ્રેસ ટ્રેન શરૂ, અટલ ટ્રેન કાંકરિયાનું વિશેષ આકર્ષણ, જાણો ટિકિટનો દર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. નવી પોલીસી અને નવા નિયમોના પાલન સાથે અટલ ટ્રેન દોડતી થઈ છે.અમદાવાદનાં કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થતા ફરવા આવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 6 મહિના બાદ ટોય ટ્રેનને ફરી લીલીઝંડી અપાઈ હતી.કોર્પોરેશનની શાળાનાં વિદ્યાર્થીઓને બેસાડીને ટ્રેનને શરૂ કરવામાં આવી હતી. નવી પોલિસી અને નવા નિયમોનાં પાલન સાથે અટલ ટ્રેન દોડતી થઈ હતી. તેમજ આગામી સમયમાં કાંકરિયામાં બંધ વોટર રાઈડ્સ પણ ટૂંક સમયમાં શરૂ થશે સરકારની નવી સેફ્ટી ગાઈડ લાઈનનું પાલન થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મંગળવારે સવારે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો અને 10થી 15 કોર્પોરેટરોની હાજરીમાં અટલ- સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકોને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલના બાળકો ટ્રેનમાં બેસીને ખુબ ખુશ થયા હતા. ટ્રેન ચાલુ થતાની સાથે જ બાળકોએ વંદે માતરમ અને ભારત માતાકી જયના નારા લગાવીને ટ્રેનની સફરનો આનંદ માણ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, અટલ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત 2008 માં થઈ હતી. પરંતું જ્યારે રાજકોટમાં આગ લાગવાની ઘટના બની હતી. તેને જોતા ટોય ટ્રેન એટલે કે અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારની નવી પોલિસી તેમજ નવા નિયમો મુજબ અટલ ટ્રેન ફરી આજથી શરૂ કરવામાં આવી છે. કાંકરિયામાં બંધ વોટર રાઈડ્સ બાબતે મેયર પ્રતિભા જૈને જણાવ્યુ હતું કે, કાંકરિયામાં બંધ વોટર રાઈડ્સ ચાલુ કરવા વિચારણા ચાલી રહી છે. તેમજ આગામી સમયમાં આ બાબતે નિર્ણય કરવામાં આવશે.

અટલ એક્સપ્રેસ સર્વન લેમ્બ નામની ટ્રેન ડેવલપ કરતી કંપની દ્વારા 6 કરોડના ખર્ચે આ ટ્રેન તૈયાર કરવામાં આવી હતી. આ ટ્રેનમાં કુલ 4 ખુલ્લા કોચ છે. અને તેમાં અંદાજે 145 જેટલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અટલ ટ્રેન કાંકરિયા તળાવ ફરતે 10 કિમી ઝડપે 40 મિનિટમાં રોજના 30 ચક્કર લગાવશે. કાંકરિયામાં છ મહિનાથી બંધ અટલ ટોય ટ્રેન પુનઃ શરૂ થશે. કાંકરિયા કાર્નિવર્લમાં મુલાકાતીઓ માટે અટલ એક્સપ્રેસ વિશેષ આકર્ષનું કેન્દ્ર બની રહેશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...