Thursday, January 22, 2026

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આકરું વલણ! ટ્રાફિક નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો

spot_img
Share

અમદાવાદ : રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મંગળવારે અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે સ્પર્ધાનાં વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં DGP, CP સહિતનાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા. દરમિયાન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, ઉત્તમ દાખલા આપ્યા. આ પ્રકારનાં સફળ કાર્યક્રમ માટે ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવું છું.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજવામાં આવેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં એક મહિના દરમિયાન કુલ 707 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાંથી 458 શોર્ટ ફિલ્મ મળી હતી. આ શોર્ટ ફિલ્મના સ્ક્રિનિંગ માટે પાંચ લોકોની કમિટીની પણ રચના કરવામાં આવી હતી. તેમના દ્વારા તમામ શોર્ટ ફિલ્મ નિહાળીને તબક્કા વાર રાઉન્ડ પ્રમાણે 53 શોર્ટ ફિલ્મમાંથી 15 શોર્ટ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. તેમાંથી 10 શોર્ટ ફિલ્મને આજે ગૃહરાજ્ય મંત્રી સહિત પોલીસવડા સમક્ષ સ્ક્રિનિંગ કરીને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા.

આ શોર્ટ ફિલ્મના વિષયોમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાહન ચલાવવું, ટુ વ્હીલર પર ત્રણ સવારી ભયજનક વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, વધુ સ્પીડ ઉપર વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો, અડચણરૂપ અથવા તો નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું, લાઇસન્સ વગર વાહન ચલાવવું વગેરે વિષયોને ધ્યાનમાં રાખીને શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમ ભંગ સામે ગુજરાત પોલીસને રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવો. રોંગ સાઇડ વાહન ચલાવતા, ઓવર સ્પિડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો. હાથમાં દસ દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે.ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...