Wednesday, March 4, 2026

અમદાવાદમાં AMCની કચરાની ગાડી સર્જ્યો અકસ્માત, સ્કૂલે જતી 9 વર્ષની બાળકીને કચડતા મોત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં AMCના વાહનોનો કાળો કહેર સામે આવ્યો છે. AMCના બેફામ બનેલા વાહને માસૂમનો ભોગ લીધો છે. AMCની દબાણ ખાતાની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. દબાણ ખાતાની ગાડીએ 9 વર્ષની બાળકીને બાળકીને કચડતા તેનું મોત થયું હતું. આ ગંભીર અકસ્માતમાં બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કચરાની ગાડીએ સરસપુર વિસ્તારમાં 9 વર્ષની બાળકીને કચડતા મોત થયું છે. સરસપુર પરમાનંદની ચાલીમાં 9 વર્ષની બાળકીને AMCની કચરાની ગાડીએ કચડી નાખી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ-પાંચમાં અભ્યાસ કરતી 9 વર્ષની વિદ્યાર્થિની સાયકલ લઇને સ્કૂલમાં જતી હતી આ દરમિયાન તેનું નિધન થયું હતું. બાળકીને કચડીને દબાણ શાખાની ગાડી જતી રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. વારંવાર થતા અકસ્માતને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતમાં બાળકીનું મોત થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની ગાડી અહીંથી પસાર થઈ રહી હતી અને તેણે સ્કૂલે જતી બાળકીને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકીનું મોત થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...