Saturday, January 24, 2026

અમદાવાદ શહેર પ્રમુખ માટે આ દાવેદારોએ ફોર્મ ભર્યાં, જાણો કયા નેતાએ નોંધાવી ઉમેદવારી?

spot_img
Share

અમદાવાદ : રાજ્યનાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજથી બે દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે. જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં જિલ્લાઓમાં ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે. શહેર પ્રમુખ બનવા માટે ચાલુ અને પૂર્વ હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યાં છે. શહેર અને જિલ્લા પ્રમુખ માટે ભાજપના કાર્યકર્તાઓથી લઈ હોદ્દેદારોએ ભાજપના ઉચ્ચ નેતાઓનું લોબિંગ પણ શરૂ કર્યું છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી મુજબ, ઉંમર, સંગઠનનો અનુભવ, 3 વખત સક્રિય સભ્ય સહિતના ભાજપના નિયમોમાં બંધબેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે. તમામ ફોર્મ સ્વીકારી અમે પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડને નામોની યાદી સોંપીશું, જે બાદ પ્રદેશ દ્વારા નામોની યાદી જાહેર થશે.

ભાજપનાં સૂત્રોમાંથી મળતી મુજબ,

ડો. ઋત્વિજ પટેલ, સહપ્રવક્તા, પ્રદેશ
ભાસ્કર ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર, સરસપુર વોર્ડ
હિતેશ બારોટ પૂર્વ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેટર, થલતેજ વોર્ડ
સુરેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય
ભૂષણ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય અને મહામંત્રી
મયૂર દવે, પૂર્વ કોપોરેટર
જિતુભાઈ પટેલ (ભગત), ધારાસભ્ય અને મહામંત્રી
બિપિન પટેલ, પૂર્વ કોર્પોરેટર, અસારવા
વલ્લભભાઈ પટેલ, પૂર્વ ચેરમેન, પૂર્વ કોર્પોરેટર, નરોડા વોર્ડ
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર, ખાડિયા વોર્ડ
દર્શક ઠાકર, યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ

આ સિવાય અન્ય મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દાવેદારો કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવશે. આ માટે જિલ્લા શહેરોના પ્રમુખો માટે વય મર્યાદાની સીમા રાખવામાં નથી આવી. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવાયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...