Tuesday, November 18, 2025

પ્રગતિનગર વિસ્તારમાં વાનરોના આતંકથી લોકોમાં ડરનો માહોલ, પાંચ લોકો પર હુમલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રખડતા ઢોર અને શ્વાનના આતંકની સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે હવે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં વાનરોનો આતંક વધી ગયો છે. શહેરના પ્રગતિનગર વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી વાનરોનો આતંક વધ્યો છે. રોજ સવાર સાંજ આ વિસ્તારમાં વાનરાઓની ટોળકી પહોંચી જાય છે. જેને પગલે ઘર આગળ પાર્ક કરેલ વાહનો અને ઘરના બારી બારણાં તોડવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહીં આ વિસ્તારમાં 5 લોકો પર વાનરોએ ઘાતકી હુમલો કરી ઘાયલ કર્યા હતા.આ હુમલાનો ભોગ બનેલ બે લોકોને ટાંકા આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રગતિનગર વિસ્તારના રહીશો વાનરોના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં અવારનવાર વાંદરાનું ઝુંડ આવીને આતંક મચાવે છે. સ્થાનિકો લોકોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, વાનરોઓથી નાગરિક અને નાના બાળકોને કરડવાના બનાવો છેલ્લાં બે સપ્તાહથી વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં પાંચ લોકો હુમલાનો ભોગ બની ચુક્યા છે.વાનરોના ત્રાસથી નાના બાળકોથી લઈને તમામ લોકોમાં ડરનો માહોલ છે. તેવા સંજોગો વચ્ચે વાનરોનો ત્રાસ દૂર થાય તે માટે વન વિભાગ પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...