Wednesday, January 14, 2026

અમદાવાદની પ્રખ્યાત ઝેબર સ્કૂલમા 8 વર્ષની બાળકીનું હાર્ટ અટેકથી મોત, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલની 8 વર્ષની ગાર્ગી રાણપરાનું અવસાન થવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યે સીડી ચડતી વખતે વિદ્યાર્થીનીને છાતીમાં દુ:ખાવો થતાં સીડી પરથી પડી ગઈ હતી. આ પછી વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળામાં પહોંચીને CCTV કેમેરા દ્વારા તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિદ્યાર્થી ગાર્ગી તુષાર રાણપરા સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડિ પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થી ગાર્ગી તુષાર રાણપરાને છાતીમાં દુખાવો થવા લાગ્યો. છાતીમાં દુ:ખાવો થતાં વિદ્યાર્થી અચાનક બેસી ગયો હતો. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી અને તેમણે તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ મોડી પડતાં તેને સ્ટાફના વાહનમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ વિદ્યાર્થી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા હાલ મુંબઈમાં છે અને તેમને જાણ કરવામાં આવી છે. પ્રવેશ સમયે કોઈ રોગ નહોતો. તેમજ પ્રવેશ સમયે વિદ્યાર્થીને કોઈ રોગ ન હોવાના દસ્તાવેજો લેવામાં આવ્યા છે. બીજી કોઈ બીમારી ન હોવા છતાં અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...