Friday, January 16, 2026

અમદાવાદમાં ફરી શિક્ષક બન્યો શેતાન: વિદ્યાર્થિનીને ભોળવીને આચર્યું દુષ્કર્મ અને પછી કરી હદ પાર

spot_img
Share

અમદાવાદ : શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદના ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. સ્પોકન ઇંગ્લિશ ક્લાસના શિક્ષકે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોખરા વિસ્તારમાં આવેલ પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગ્લિશના સંચાલક જીગ્નેશ ગોહિલ અને વિદ્યાર્થિનીની ટ્યુશન ક્લાસમાં મુલાકાત થઈ હતી. દરરોજ મળતાં હોવાથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. નરાધમ શિક્ષકે તેના ભોળપણનો લાભ ઉઠાવી વિવિધ જગ્યાએ લઈ જઈ શરીરસંબંધ બાંધ્યો હતો. આ દરમિયાને તેણે ફોટા અને વીડિયો ક્લિક કરી લીધા હતા. જેના આધારે તે બ્લેકમેલ કરતો હતો.

શિક્ષકના ત્રાસથી કંટાળી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખોખરા પોલીસે આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નરાધમ શિક્ષકે અગાઉ કોઈ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...