Wednesday, March 4, 2026

નારણપુરામાં હાઉસીંગ રીડેવલોપમેન્ટને લઈને માર્ગદર્શન સેમિનાર યોજાયો, ફેડરેશનની રચના કરાશે

spot_img
Share

અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી હાઉસીંગ રીડેવલોપમેન્ટ લઈને નવા વાડજ, નારણપુરા સહીત અનેક સ્થળોએ અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે જે અંતર્ગત આજે નારણપુરામાં GSC BANK ના હોલમાં આશરે 75 હાઉસીંગ કોલોનીના હોદેદારો તેમ જ સક્રિય સભ્યોની હાજરીમાં એક માર્ગદર્શન સેમિનાર યોજાયો.

આજ રોજ યોજાયેલ માર્ગદર્શન સેમિનારમાં 75 હાઉસીંગ કોલોનીના હોદેદારો તેમ જ સક્રિય સભ્યો સહીત કુલ 400 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં રીડેવલોપમેન્ટની પ્રક્રિયા તેમ જ તેમાં પડતી મુશ્કેલીઓની સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સેમિનારમાં રીડેવલોપમેન્ટમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે એક ફેડરેશનની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ ફેડરેશન સરકાર તેમ જ GHB સાથે ચર્ચા કરીને રહીશોના હિતમાં રજૂઆત કરીને સભ્યોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું અને આ ફેડરેશનને સૌ સભ્યોએ બધી જ રીતે સહકાર આપવાનો રહેશે એવું સર્વે સભ્યોએ એકી અવાજે જાહેર કર્યું.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા આ માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી તથા રહીશોનો આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...