Wednesday, March 11, 2026

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંગદાન જાગૃતિનું અભિયાન, પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે

spot_img
Share

અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન એક અનોખું સામાજિક અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન “Donate Organs, Save Lives” નો ઉદ્દેશ્ય લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. BCCIના અધ્યક્ષ જય શાહે આ અભિયાનની જાહેરાત કરી છે અને આ અભિયાનની અનોખી શરૂઆતની માહિતી આપી છે.

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતની મેચ દરમિયાન એક સામાજીક કાર્યક્રમ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, રેડક્રોસ અને BCCI સાથે મળીને એક અભિગમ ઊભો કર્યો છે કે ઓર્ગન ડોનેશનમાં લોક જાગૃતિ ઊભી થાય, તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે. આ માટે મેચ દરમિયાન તેમને યોગ્ય સમય પણ ફાળવવામાં આવશે.”

આ અભિયાનને લઈને ઐતિહાસિક એવા સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજીક સંદેશ જશે. જેમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.

અભિયાનની વિશેષતાઓ:
સ્ટેડિયમમાં હાજર દર્શકો અંગદાનની પ્રતિજ્ઞા લેશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને BCCIના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મેદાનમાં 1000થી વધુ સ્વયંસેવકો શપથ લેવડાવશે અને અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવશે.
સામાજિક મીડિયા પર પણ ભારતના ટોચના ક્રિકેટરો દ્વારા પ્રેરણાદાયક સંદેશ પ્રસારિત કરવામાં આવશે.

વિશેષ કાર્યક્રમ:
રેડક્રોસ સોસાયટી દ્વારા જાહેર કરાયેલા QR કોડ દ્વારા અંગદાન સંમતિ ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન રેડક્રોસ દ્વારા વિશેષ રજિસ્ટ્રેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.
ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં હાજર દર્શકો દ્વારા સૌથી વધુ અંગદાન શપથ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ક્રિકેટ અને સામાજિક જવાબદારી: આ અભિયાન માત્ર એક રમત નહીં, પરંતુ એક મહાન સંદેશ પણ છે. એક વ્યક્તિના અંગદાનથી 8 લોકોનું જીવન બચાવી શકાય. BCCI અને રેડક્રોસ સોસાયટી દ્વારા આ અભિયાનને સાકાર કરવા માટે તમામ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે.

બુધવારે ભારતની ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં વિજય મેળવવા ઉતરશે, પણ સાથે સાથે સ્ટેડિયમમાં સામાજિક બદલાવની એક નવી મિસાલ પણ સ્થાપિત થશે. આ અનોખી પહેલના ભાગરૂપે, દરેક વ્યક્તિએ આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને જીવન બચાવવા માટે અંગદાનની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જે આજની સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...