Monday, November 17, 2025

અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં 24 કલાકમાં ત્રણ હિટ એન્ડ રન અકસ્માતો, 4નાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હિટ એન્ડ રન અકસ્માતની 3 ઘટનામાં એક વૃદ્ધ અને ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યાની ઘટના બની હતી. જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓ શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં બની હતી.હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પહેલી ઘટનામાં કલોલના વિશાલ ઠાકોર અને સંબંધી કાળાજી ઠાકોર બાઇક પર સાણંદના સાયલા ખાતે લગ્નપ્રસંગમાંથી પાછા આવી રહ્યા હતા. આ સમયે શીલજ કેનાલ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલ અને કાળાજી રોડ પર પટકાયા હતા. બંને આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે બંનેને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બોપલ પોલીસ ટક્કર મારી ભાગી જનારા કારચાલકને શોધી રહી છે.

બીજી ઘટનામાં અસલાલી નજીક પૂરઝડપે આવેલી એક ટ્રકે ટુવ્હીલરને ટક્કર મારી હતી. ટુવ્હીલર પર જઈ રહેલા ભાવેશ સોલંકી અને ભરત સોલંકી નામના પિતરાઈ ભાઈઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ભાવેશ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ભરત સોલંકી હોસ્પિટલમાં છે.

ત્રીજી ઘટનામાં ચાંદખેડાના 80 વર્ષના વૃદ્ધ ત્રિભો‌વન ઘેલા રવિવારે સાંજે ચાલવા નીકળ્યા હતા. શ્લોક એવન્યુ નજીક ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરે તેમને ટક્કર મારી હતી. ટુવ્હીલરની ઝડપ એટલી હતી કે, વૃદ્ધ રસ્તા પર પછડાતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા પછી ટુવ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ટુવ્હીલર ચાલક સગીર હોવાની શંકા છે. ઓળખ માટે પોલીસ સીસીટીવી ફેંદી રહી છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા અકસ્માતો બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. છતાંય ઓવરસ્પીડ વાહન ચાલકોને કોઈ ડર રહ્યો નથી. વાહન ઓવરસ્પીડમાં તેમજ નશો કરી ચલાવાતા હોવાથી અકસ્માત વધી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...