Saturday, February 7, 2026

અમદાવાદમાં યુવકને ચોર સમજીને ફટકારવાનું ભારે પડ્યું, જાણો વિગત…

spot_img
Share

અમદાવાદ : અમદાવાદામાં એક પુરુષને ચોર સમજીને ત્રણ લોકોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. થોડીવાર પછી પુરુષની સ્થિતિ ગંભીર બનતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે પુરુષને ફટકારનારા ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 21 ફેબ્રુઆરીએ વિભુષા બંગ્લોઝ પાસે સોમેશ્વર રેસીડન્સી સામે પટેલ ફેબ્રીકેશન સામે આવેલ ત્રણ બાકડા વચ્ચે 3 લોકોએ ઇન્દ્રવદનને માર માર્યો હતો. 39 વર્ષીય ઇન્દ્રવદન પુરષોતમભાઇ પરમારનું ઢોર માર મારવાના કારણે મોત થયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક એસડીએમની હાજરીમાં વીડિયોગ્રાફી કરાવી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક ઈન્દ્રવદનને ચોર સમજી ફટકારનારા કેતન, સુભાષ અને કંદર્પની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ત્રણ દિવસ પહેલા આરોપી કેતન પટેલની ફેબ્રીકેશનની દુકાનમાં ચોરી થઈ હતી જેથી કેતન અને તેના અન્ય બે મિત્રોએ સાથે મળીને પોતાની ફેબ્રિકેશનની દુકાનની આસપાસ રેકી કરી હતી.કેતન પટેલે પોતાની દુકાનમાં થયેલ ચોરીની ઘટનામાં ચોર કોણ છે,તે જાણવા માટે સંદર્ભ પટેલ અને સુભાષ પટેલ સાથે મળીને રેકી કરી, જેથી ચોર કોણ છે તે જાણી શકાય. આ દરમિયાન 21 ફેબ્રુઆરીએ સવારે 6:00 કલાકે ઇન્દ્રવદન નામનો યુવક તેમની દુકાન પાસેથી પસાર થતો હતો જેથી તેના પર શંકા રાખી હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં ઇન્દ્રવદનને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું. બોપલ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં કેતન પટેલ અને સુભાષ પટેલનો સમાવેશ થાય છે. ત્રણેયની ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...