Thursday, April 30, 2026

અમદાવાદના ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર, માણેકચોક બજાર આટલા દિવસ માટે બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા આગામી દિવસોમાં માણેક ચોકને બંધ રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે. જેને લઈને માણેકચોકને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ AMC દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. જોકે ટૂંક સમયમાં જ સર્વે પૂરો થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને તે સમયે માણેકચોક બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવેલા ખાણી-પીણી બજાર માકેણચોક 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.માણેકચોકમાં કામકાજ કરવાનું હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ રાખવાનો નિર્યણ લીધો છે.ખાણીપીણી બજાર જરૂરિયાત પ્રમાણે બંધ રાખવામાં આવશે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ.બજાર બંધ રહેવા અંગે ખાણી-પીણી અને સોની બજારના વેપારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે.

જૂની ડ્રેનેજ લાઇનને રિહેબિલિટેશન કામગીરી પગલે જરૂરિયાત અનુસાર માણેકચોક બંધ કરવાની ફરજ પડશે. જેને લઈને ખાણીપીણી બજારને પણ અસર પડવાની છે. મધ્ય ઝોનમાં AMC દ્વારા કુલ 55 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. જેમાં હાલ તો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ આખરી નિર્ણય લેવાશે જેમાં નક્કી કરવામાં આવશે કે માણેકચોક એક મહિના માટે બંધ રહેશે.

એવી માહિતી સામે આવી છે કે હોળીના તહેવાર બાદ માણેકચોકમાં કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. જોકે આ નિર્ણયને લઈને ખાવાના રસિકો થોડોક સમય સુધી માણેકચોક નહીં જઈ શકે. સાથે જ જે લોકો ત્યાં ખાણીપીણીનો ધંધો કરે છે તે લોકોના ધંધાને પણ મોટા પ્રમાણમાં અસર પડી શકે છે. જોકે હાલ તો આ મામલે AMC દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...