Wednesday, March 4, 2026

અમદાવાદના ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર, માણેકચોક બજાર આટલા દિવસ માટે બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા આગામી દિવસોમાં માણેક ચોકને બંધ રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે. જેને લઈને માણેકચોકને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ AMC દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. જોકે ટૂંક સમયમાં જ સર્વે પૂરો થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને તે સમયે માણેકચોક બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવેલા ખાણી-પીણી બજાર માકેણચોક 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.માણેકચોકમાં કામકાજ કરવાનું હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ રાખવાનો નિર્યણ લીધો છે.ખાણીપીણી બજાર જરૂરિયાત પ્રમાણે બંધ રાખવામાં આવશે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ.બજાર બંધ રહેવા અંગે ખાણી-પીણી અને સોની બજારના વેપારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે.

જૂની ડ્રેનેજ લાઇનને રિહેબિલિટેશન કામગીરી પગલે જરૂરિયાત અનુસાર માણેકચોક બંધ કરવાની ફરજ પડશે. જેને લઈને ખાણીપીણી બજારને પણ અસર પડવાની છે. મધ્ય ઝોનમાં AMC દ્વારા કુલ 55 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. જેમાં હાલ તો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ આખરી નિર્ણય લેવાશે જેમાં નક્કી કરવામાં આવશે કે માણેકચોક એક મહિના માટે બંધ રહેશે.

એવી માહિતી સામે આવી છે કે હોળીના તહેવાર બાદ માણેકચોકમાં કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. જોકે આ નિર્ણયને લઈને ખાવાના રસિકો થોડોક સમય સુધી માણેકચોક નહીં જઈ શકે. સાથે જ જે લોકો ત્યાં ખાણીપીણીનો ધંધો કરે છે તે લોકોના ધંધાને પણ મોટા પ્રમાણમાં અસર પડી શકે છે. જોકે હાલ તો આ મામલે AMC દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...