Thursday, November 13, 2025

અમદાવાદના ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર, માણેકચોક બજાર આટલા દિવસ માટે બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા આગામી દિવસોમાં માણેક ચોકને બંધ રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે. જેને લઈને માણેકચોકને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ AMC દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. જોકે ટૂંક સમયમાં જ સર્વે પૂરો થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને તે સમયે માણેકચોક બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવેલા ખાણી-પીણી બજાર માકેણચોક 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.માણેકચોકમાં કામકાજ કરવાનું હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ રાખવાનો નિર્યણ લીધો છે.ખાણીપીણી બજાર જરૂરિયાત પ્રમાણે બંધ રાખવામાં આવશે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ.બજાર બંધ રહેવા અંગે ખાણી-પીણી અને સોની બજારના વેપારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે.

જૂની ડ્રેનેજ લાઇનને રિહેબિલિટેશન કામગીરી પગલે જરૂરિયાત અનુસાર માણેકચોક બંધ કરવાની ફરજ પડશે. જેને લઈને ખાણીપીણી બજારને પણ અસર પડવાની છે. મધ્ય ઝોનમાં AMC દ્વારા કુલ 55 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. જેમાં હાલ તો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ આખરી નિર્ણય લેવાશે જેમાં નક્કી કરવામાં આવશે કે માણેકચોક એક મહિના માટે બંધ રહેશે.

એવી માહિતી સામે આવી છે કે હોળીના તહેવાર બાદ માણેકચોકમાં કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. જોકે આ નિર્ણયને લઈને ખાવાના રસિકો થોડોક સમય સુધી માણેકચોક નહીં જઈ શકે. સાથે જ જે લોકો ત્યાં ખાણીપીણીનો ધંધો કરે છે તે લોકોના ધંધાને પણ મોટા પ્રમાણમાં અસર પડી શકે છે. જોકે હાલ તો આ મામલે AMC દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...