Wednesday, February 11, 2026

અમદાવાદમાં ઓલિમ્પિક-2036ના આયોજન માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ પૂરજોશમાં !

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયારી દર્શાવી છે. આ ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનો હતો જે ભારત દ્વારા મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આ ગેમ્સનું આયોજન કરવા વિચારણા હોવાથી હાલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી થઈ રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવાનો વિચાર છે. જેને લઈને ત્યાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ગતિથી આગળ વધારવામાં આવી રહ્યું છે, સાથે અમદાવાદમાં નેશનલ લેવલની જુદી-જુદી ટુર્નામેન્ટનાં આયોજન પણ વધારવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો હતો તેમજ નેશનલ લેવલની ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવા જુદા-જુદા કાર્યક્રમો દ્વારા આપણે અમદાવાદને પ્રમોટ કરીને તેને એક ખાસ સેન્ટર તરીકે ડેવલપ કરી રહ્યા છીએ, જેમાં સફળતા મળવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની વિચારણા હોવાથી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં નેશનલ લેવલની જુદી-જુદી ટુર્નામેન્ટનાં આયોજન પણ વધારવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જે ફેસિલિટી છે, તેવી ઇન્ટરનેશનલ કક્ષાની ફેસિલિટી સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય શહેરોમાં પણ ઉભું કરવામાં આવશે. હાલ જે કોઈપણ સ્પોર્ટ્સને લગતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય છે તે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને કરાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...