Tuesday, February 10, 2026

અમદાવાદીઓ સાવધાન, કેરકેટર તરીકે કામ કરતા બંટી બબલી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ, તમારા ઘરમાં બિમાર અથવા તો વૃદ્ધો વડીલોને સાચવવા માટે તમે કેર ટેકર રાખી છે તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ કેર ટેકર તમારી તીજોરી સાફ કરી શકે છે. અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, વૃદ્ધ સાસુની તબીયત ખરાબ હોવાથી તેમની સાર સંભાળ માટે મહિલાએ એજન્સી થતી કેર ટેકરને નોકરી પર રાખી, જોકે તેણે વૃદ્ધાની સારસંભાળની સાથે ઘરમાં હાથ સફાઈ કરવાની શરૂ કરી અને લાખોના દાગીનાં ચોરી લીધા હતા.જો કે, બોપલ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ ચોર દંપતીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક નાગરિક દ્વારા નોંધાયેલ ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી ઘરમાંથી ચોરી કરતી સાતિર બંટી અને બબલીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ફરિયાદ અનુસાર, સાઉથ બોપલ વિસ્તારમાં આરોહી એલિઝમ ખાતે રહેતા સારીકાબેન પાચપોરનાં સાસુ રચનાંબેનને હૃદયની બિમારી હોવાથી તેઓની સારસંભાળ માટે પી.એલ.એસ હીલ એટ હોમ પ્રાઈવેટ લીમીટેડ કંપની મારફતે નિકિતા દાયમા અને માંગીલાલ દાયમા નામની બે વ્યક્તિ કેર ટેકર આવી હતી અને વૃદ્ધોની સેવા કરવાનું કામ કરતા હતા. પોતાની સેવાથી ખુશ કરીને ઘરનાં લોકોને વિશ્વાસમાં લીધા હતા.

દરમિયાન, તક મળતા દંપતીએ ઘરમાંથી સોનાં-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી કરી હતી અને ફરાર થયા હતા. જો કે, પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી દંપતીને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લાનાં રહેવાસી છે. પોલીસે આરોપી દંપતી પાસેથી રૂ. 8 લાખ 34 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...