Wednesday, November 19, 2025

હોળી-ધૂળેટીની તૈયારી: અમદાવાદથી ST દોડાવશે 5 દિવસમાં 800 વધુ એકસ્ટ્રા બસો

spot_img
Share

અમદાવાદ: હાલ હોળી અને ધુળેટી ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ડાકોર-દ્વારકા જતાં હોય છે. આ ઉપરાંત હોળી-ધૂળેટીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.ડાકોર, દાહોદ, ગોધરા સહિતના મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન અને વકીલ સાહેબ બ્રીજથી વધારાની બસ દોડાવાશે તેમજ ઓઢવ રીંગરોડથી પણ દોડાવવામાં વધારાની બસ આવશે. હોળીના તહેવારને ધ્યાને લઈ ST વિભાગે 820 જેટલી બસોનું સંચાલન કરવાનું આયોજન કર્યુ છે.હોળી-ધૂળેટીના પર્વમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જતાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે. જેના પરિણામે દર વર્ષે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદથી 820 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હકીકતમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારના ધ્યાનમાં રાખીને આગામી 9 માર્ચ થી 13 માર્ચ, 2025 એમ 5 દિવસ દરમિયાન ડાકોર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, બારીયા અને છોટા ઉદેપુર જતાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન, બોપલ સ્થિત વકીલ બ્રિજ અને ઓઢવ રિંગ રોડ પરથી 820 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

મુસાફરો ડેપો અને નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તેમજ મુસાફરોને પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં.1800 233 666666 ઉપર 24 કલાક માહિતી મેળવી શકશે. હોળી ધુળેટી પર્વ પર ગત વર્ષે એસ. ટી. દ્વારા 1000 જેટલી બસો દ્વારા 6500 થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જેવા જિલ્લામાંથી અનેક લોકો નોકરી અને વેપાર-ધંધા માટે અમદાવાદમાં આવીને વસ્યા છે. જેઓ હોળી-ધૂળેટીના તહેવાર માટે ખાસ પોતાના વતન જતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...