Monday, November 17, 2025

ST હવે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ શરૂ કરશે, ટૂંક સમયમાં રૂટ અને પેકેજ જાહેરાત

spot_img
Share

અમદાવાદ : ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા મહાકુંભ મેળામાં લોકોને પહોંચાડવા માટે અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી દરરોજ બસ સર્વિસનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના ટૂર પેકેજની જેમ ગુજરાત એસટી નિગમ દ્વારા હવે રાજ્યના તીર્થસ્થળો માટે બસ સર્વિસ શરૂ કરે તેવી માગણી શરૂ થઈ હતી. લોકોની માગણીને પગલે ગુજરાત એસટી નિગમ પણ હવે સકારાત્મક વલણ દાખવતા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ રૂટ પર ટૂર સર્કિટ બનાવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત એસટી નિગમ હવે ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી રાજ્યના ધાર્મિક સ્થળો માટે ટૂર સર્કિટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. નિગમ આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ ઝોનમાં ટૂર સર્કિટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક રાત તેમજ બે દિવસના ટૂર પેકેજ માટે આગામી દિવસોમાં રૂટ નક્કી થયા બાદ ભાડુ નક્કી કરવામાં આવશે. જેમાં તમામ રૂટ પર કુલ કિલોમીટર દીઠ ભાડુ, હોટલ કે ધર્મશાળા ચાર્જ સહિત અન્ય ચાર્જ નક્કી કરી ટૂર પેકેજની કિમત નક્કી કરાશે. જો કે આ ટૂર પેકેજ 2 હજાર રૂપિયાથી લઈ 5 હજાર રૂપિયા સુધીના હોય તેવી શક્યતા છે. તેની સાથે જ આ ટૂર દર સપ્તાહના અંતે એટલે કે શનિવાર રવિવારના રોજ સંચાલિત કરાય તેવી શક્યતા છે. જેથી વિકેન્ડમાં રજાના દિવસે લોકો પરિવાર સાથે આ રૂટ પર યાત્રાનો લાભ લઈ શકશે.

આ ટૂર દર સપ્તાહના અંતે, એટલે કે શનિવાર અને રવિવારે સંચાલિત થવાની શક્યતા છે, જેથી લોકો તેમના પરિવાર સાથે સહેલાઈથી યાત્રાનો આનંદ માણી શકે. સંભવિત ટૂરિસ્ટ સર્કિટમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર અને હરસિદ્ધિ માતા મંદિર, દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ અને સેલવાસ, કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર, અને ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી અને બહુચરાજીનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...