Thursday, April 30, 2026

અમદાવાદ શહેરમાં વધુ 1 કિમી લાંબો છ લેનનો બ્રિજ બનાવાશે, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે

spot_img
Share

અમદાવાદ : શહેરના નાગરિકોને હવે ટ્રાફિકથી રાહત મળે તેવા સમાચાર છે. હવે અમદાવાદને એક બ્રિજ બનાવવામાં આવશે. જેથી ટ્રાફિક અને બીજી સમસ્યાઓનો અંત આવશે. જેથી શહેરની રોનકમાં વધારો થશે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ટુ હેઠળ નદીના પશ્ચિમ કાંઠે અચેર ડેપોથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બરાક કમ બ્રિજ બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ સાબરમતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. જે બ્રિજ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડી રહ્યો છે.આ બ્રિજ બનવાને કારણે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, સાબરમતી, મોટેરા તેમજ પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ તેમજ હાસોલ વિસ્તારને સીધી કનેક્ટિવિટ મળશે. નવો છ લેનના બ્રિજની લંબાઈ 1048.08 મીટર હશે. મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગે ત્રણ મીટર પહોળાઈની ટેન્શન સાથેની ફૂટપાટ બનાવવામાં આવશે. આ બ્રિજ બનાવવા માટે 249.92 કરોડ ખર્ચ કરવામાં આવશે.એપ્રિલ-2027 સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 10,000 ચોરસ મીટરથી વધુની ટોરેન્ટ પાવરની જગ્યાને કોર્પોરેશન દ્વારા લેવાની મંજૂરી આપવામાં આવી છે.બ્રિજ સુધીની કનેક્ટિવિટી માટે આ જગ્યા જરૂરી હતી. સાબરમતી રિવરફ્રન્ટને પણ આ રોડની કનેક્ટિવિટી આપવામાં આવી છે. જેથી ત્યાંથી સીધા લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર પણ જઈ શકશે.

આ ફૂટપાટ રોડના લેવલથી નીચેના ભાગે હોવાથી ટ્રાફિકના અવરોધ વગર નદી તેમજ રિવરફ્રન્ટનો નજારો નિહાળી શકશે, બ્રિજ ઉપરાંત બેરેજ બનવાને કારણે પાણીનો સંગ્રહ થઈ શકશે. જેને કારણે પાણીની સમસ્યાઓના સમયે પાણીનો ઉપયોગ કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...