Thursday, April 30, 2026

અમદાવાદમાં આ સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ, વાલીઓને મોટી રાહત

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આગામી સત્રથી બાલવાટિકાથી લઈ ધો.10 સુધી ફ્રી શિક્ષણ આપવામાં આવશે. AMCના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ 10 સુધી મફતમાં અભ્યાસ કરી શકશે. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડ હેઠળ ધોરણ 1 થી 8 સુધીની 400 થી વધુ શાળાઓ ચાલી રહી છે. જોકે, નજીકના ભવિષ્યમાં, સ્કૂલ બોર્ડે ધોરણ 9 અને 10 માટે વર્ગો શરૂ કરવાની યોજના બનાવી છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ મફતમાં આપી શકાય. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓ ફક્ત 8 ધોરણ સુધી જ શિક્ષણ આપતી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 400 શાળાઓમાં લગભગ 1.70 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે, પરંતુ ધોરણ 8 પછી, બાળકોને ભારે ફી ચૂકવીને ખાનગી શાળાઓમાં અથવા નજીવી ફી ચૂકવીને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરવો પડતો હતો. પરંતુ હવે સ્કૂલ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષથી માધ્યમિક વર્ગો શરૂ કરવા જઈ રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફી ચૂકવવી પડશે નહીં અને પુસ્તકોથી લઈને ગણવેશ સુધીની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ થશે. આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં આ સાત ઝોનમાં આ શાળાઓ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડની સૂચનાઓ અને વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને તેનો વિસ્તાર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...