Saturday, March 7, 2026

અમદાવાદમાં આ સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ, વાલીઓને મોટી રાહત

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આગામી સત્રથી બાલવાટિકાથી લઈ ધો.10 સુધી ફ્રી શિક્ષણ આપવામાં આવશે. AMCના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ 10 સુધી મફતમાં અભ્યાસ કરી શકશે. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડ હેઠળ ધોરણ 1 થી 8 સુધીની 400 થી વધુ શાળાઓ ચાલી રહી છે. જોકે, નજીકના ભવિષ્યમાં, સ્કૂલ બોર્ડે ધોરણ 9 અને 10 માટે વર્ગો શરૂ કરવાની યોજના બનાવી છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ મફતમાં આપી શકાય. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓ ફક્ત 8 ધોરણ સુધી જ શિક્ષણ આપતી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 400 શાળાઓમાં લગભગ 1.70 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે, પરંતુ ધોરણ 8 પછી, બાળકોને ભારે ફી ચૂકવીને ખાનગી શાળાઓમાં અથવા નજીવી ફી ચૂકવીને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરવો પડતો હતો. પરંતુ હવે સ્કૂલ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષથી માધ્યમિક વર્ગો શરૂ કરવા જઈ રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફી ચૂકવવી પડશે નહીં અને પુસ્તકોથી લઈને ગણવેશ સુધીની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ થશે. આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં આ સાત ઝોનમાં આ શાળાઓ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડની સૂચનાઓ અને વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને તેનો વિસ્તાર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...