Monday, November 17, 2025

અમદાવાદ પોલીસનું જાહેરનામું, IPL મેચોને લઈ આ રસ્તાઓ રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : આજથી IPLનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે IPLની કેટલીક મેચોનું અમદાવાદમાં પણ આયોજન કરાયું છે. IPL 2025ના 7 રોમાંચક મુકાબલાઓ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી 18 મે, 2025 સુધી યોજાશે. આ મેચો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને લોકોની સુરક્ષા જળવાય તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ-ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે.

(1) તા.25/03/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s પંજાબ કિંગ્સ, (2) તા.29/03/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s મુંબઈ ઇન્ડીયન્સ, (3) તા.09/04/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s રાજસ્થાન રોયલ, (4) તા.19/04/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s દિલ્હી કેપીટલ્સ, (5) તા.૨/૫/૨૦૨૫ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, (6) તા.14/05/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, (7) તા.18/05/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે ઇન્ડીયન પ્રીમીયર લીગ (IPL 2025) ની ક્રિકેટ મેચો ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે રમાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે કેટલાક હુકમો કર્યો છે.

અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે ઇન્ડીયન પ્રીમીયર લીગ (IPL 2025) ની ઉપર્યુક્ત વિગતો મુજબની ક્રિકેટ મેચો રમાનાર હોય જે મેચ દરમિયાન કેટલાક માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત /ડાયવર્ઝન કરવામાં આવે છે.

મેચ દરમિયાન પ્રતિબંધિત માર્ગની વિગત
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

મેચ દરમિયાન વૈકલ્પિક માર્ગની વિગત
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

અપવાદ: ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...