Thursday, November 13, 2025

અમદાવાદમાં ટ્રાફિક વિભાગની બેદરકારી, હેલ્મેટ ના પહેરવા બદલ યુવકને ફટકારાયો 10 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર ઘટના

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક વિભાગની બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, એક યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ એક યુવકને 10 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુવક દ્વારા આ મામલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. હાજર સ્ટાફ દ્વારા યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો. જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ 10 લાખ 500 રૂપિયા લખેલી હતી. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.

યુવકને આટલી મોટી રકમનો મેમો આવવા બદલ કોર્ટમાં જવું પડી શકે છે. જો કે, આટલી મોટી રકમ ભરવી યુવક કે કોઈ પણ મધ્યમ વર્ગના નાગરિક માટે અશક્ય છે, તેથી તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી અને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. યુવકે વિનંતી કરી કે આ મેમોમાં કોઈ ભૂલ હોવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અનિલ હડિયાને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવાર ચોંકી ગયો હતો. વકીલાતનો અભ્યાસ કરતા અનિલ હડિયા ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વગર જતો હતો.આ દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના જવાને એક્ટિવા ચાલકને રોકીને હેલ્મેટ ના પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. 15 મિનિટના ગાળામાં જ યુવકના મોબાઇલ પર નિયમભંગનો મેસેજ આવ્યો હતો.

જોકે, ઓઢવ પોલીસ દ્વારા ગત મહિને પોલીસ ચોકીમાં બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેને કોર્ટની વેબસાઇટ ચેક કરતા તેમાં નિયમભંગના 10 લાખ 50 હજારનો મેમો જોઇ પરિવાર ચોંકી ગયો હતો.ગત જુલાઇ મહિનાથી કોર્ટ-કચેરીના અનેક વખત ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. આ ઘટનાને લઇને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીએ ટેકનિકલ સમસ્યા ગણાવી તેને હલ કરવાની બાંહેધરી આપી હતી.

સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ 500 થી 1000 હોય છે, પરંતુ આ કેસમાં 10 લાખથી વધુ રકમનો મેમો આવતા અનેક સવાલો ઉભા થયા છે. શું ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં કોઈ ભૂલ થઈ છે ? કે પછી આ કોઈ અન્ય પ્રકારનો કેસ હોય શકે છે ? હાલમાં આ અંગે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...