Wednesday, March 18, 2026

અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચારણા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં 2036 ની ઓલિમ્પિક ગેમ્સ યોજાય તેવી ભવિષ્યની યોજનાઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારે આ મેગા ઇવેન્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક એક વિશાળ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવાની તૈયારી શરૂ કરી છે. આ યોજના અંતર્ગત અંદાજે 650 એકર જમીન પર ઓલિમ્પિક વિલેજ, કઈંક નવા સ્ટેડિયમ અને રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આસારામનો એક આશ્રમ અમદવાદના મોટેરા વિસ્તારમાં આવેલો છે, જે હજુ પણ સક્રિય છે. આ આશ્રમમાં આસારામના અનુયાયીઓ એકઠા થતા હોય છે. એક અહેવાલ મુજબ આ આશ્રમ તોડી પાડવામાં આવશે. સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની જમીન સંપાદન કરવા માટે પ્રયત્નશીલ છે, જેમાં આસારામના આશ્રમની જમીનનો પણ સમાવેશ થાય છે. જો કે આશ્રમ ટ્રસ્ટ આ જમીન આપવા તૈયાર નથી અને આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. આશ્રમની જમીનનો ઉપયોગ ઓલિમ્પિક્સ ગેમ્સ માટે કરવામાં આવશે.

ભારતે ઓલિમ્પિક ગેમ્સ 2036 ની યજમાની માટે બીડ દાખલ કરી છે. સરકાર અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ યોજવા ઈચ્છે છે, જેના માટે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિક 2036ના આયોજન માટે મોટેરા પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે, જેમાં ઓલિમ્પિક વિલેજ અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટી હશે.

અનુયાયીઓ નારાજ:
આસારામના કેટલાક અનુયાયીઓ આ નિર્ણયથી નરાજ થયા છે. કેટલાક અનુયાયીઓ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. એક યુઝરે X પર લખ્યું છે કે આસારામ જેલમાં છે, પણ તમે તેમના આશ્રમને સ્પર્શ કરવાની હિંમત કેવી રીતે કરી? આ અનુયાયીઓની લાગણીઓ સાથે છેડછાડ છે.

બીજી તરફ કેટલાક લોકોએ સરકારના આ પગલાને સમર્થન આપ્યું છે. લોકોએ લખ્યું કે આસારામ એક ગુનેગાર છે અને તેના આશ્રમનો ઉપયોગ હવે ઓલિમ્પિક જેવા મોટા હેતુ માટે કરવામાં આવશે, આ યોગ્ય પગલું છે.

સમિતિએ કાર્યવાહી શરુ કરી:
અહેવાલ, હાલમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિએ માસ્ટર પ્લાન અનુસાર વહીવટી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે મુજબ આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને અન્યત્ર ખસેડવામાં આવશે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી કાયદા મુજબ કાર્યવાહી પૂર્ણ કરશે. સમિતિ નક્કી કરશે કે જમીન માટે વળતર આપવું કે આશ્રમ માટે બીજી જગ્યા આપવી. સદાશિવ પ્રજ્ઞા મંડળે અરજી કરી કે તેમના કેટલાક બાંધકામોને ત્યાં રહેવા દેવામાં આવે. જો આશ્રમ બીજી જમીન પૂરી પાડે, તો માસ્ટર પ્લાનમાં આ ફેરફાર થઇ શકે છે.

સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને ઓલિમ્પિક વિલેજ માટેનો માસ્ટર પ્લાન અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ની મદદથી આર્કીટેક્ચર ફરમ પોપ્યુલસ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પ્રારંભિક અહેવાલમાં 650 એકર જમીન સૂચવવામાં આવી છે, જેમાંથી 600 એકર ભાટ, મોટેરા, કોટેશ્વર અને સુઘડમાં આવે છે અને 50 એકર સાબરમતી રિવરફ્રન્ટ પર છે. માસ્ટર પ્લાનમાં સ્ટેડિયમની નજીક શિવનગર અને વણઝારા વાસ જેવા રહેણાંક વિસ્તારોના સંપાદનનો પણ સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની આગેવાની હેઠળની સમિતિ મંજૂરી આપવામાં આવ્યા બાદ અમદાવાદ કલેક્ટર ઓફિસને જમીન સંપાદનનું કામ સોંપવામાં આવ્યું છે.

કરાઈ પોલીસ એકેડેમીની જમીનનું પણ સંપાદન થઇ શકે છે, આ જગ્યા પર સરકાર સ્પોર્ટ્સ ફેસિલિટી સ્થાપવાની યોજના બનાવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...