Tuesday, February 10, 2026

અમદાવાદમાં વધુ એક નજરાણું, રિવરફ્રન્ટ પર બનશે વર્લ્ડક્લાસ ગ્લાસ ડોમ ગાર્ડન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટના સૌંદર્યમાં હવે વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જો બધું આયોજન પ્રમાણે ચાલે, તો અમદાવાદીઓ એક એવું ગાર્ડન માણી શકશે, જે અત્યાર સુધી સિંગાપોર જેવા શહેરોમાં જ જોવા મળતું હતું. આ ગાર્ડન વિશાળ કાચના ડોમ નીચે બનેલ હશે અને તેની ડિઝાઇન અને ટેક્નોલોજી એટલી અદ્વિતીય હશે કે તે સમગ્ર દેશમાં પ્રથમ પ્રકારનું હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા કરાયેલ આયોજન મુજબ ગાર્ડનની વિશેષતાઓની વાત કરીએ તો સમગ્ર ગાર્ડન કાચના વિશાળ ડોમમાં બનાવવામાં આવશે. જેમાં ગ્રીન એનર્જી , સસ્ટેનેબલ એનર્જી એફિશિયન્સી , તમામ પ્રકારના વાતાવરણમાં ગાર્ડનની મજા માણી શકાય એવી સુવિધા હશે. ગાર્ડનની વિશેષતાઓની વાત કરીએ તો સમગ્ર ગાર્ડન કાચના વિશાળ ડોમમાં બનાવવામાં આવશે. જેમાં ગ્રીન એનર્જી , સસ્ટેનેબલ એનર્જી એફિશિયન્સી, તમામ પ્રકારના વાતાવરણમાં ગાર્ડનની મજા માણી શકાય એવી સુવિધા હશે.

સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ડોમમાં બનાવવામાં આવનાર એલિવેટેડ રેમ્પ હશે, કે જેના પરથી મુલાકાતીઓ અને પ્રવાસીઓએ પસાર થવાનું રહેશે. રેમ્પની નીચે અને આસપાસમાં વિવિધ વૃક્ષો થકી ગાઢ જંગલનું વાતાવરણ ઉભું કરવામાં આવશે. એન્જિનિયરીંગ દ્રષ્ટિએ પણ આ ગ્લાસ ડોમ ધરાવતું ગાર્ડન અનોખું હશે. કારણ કે કોલમ વિના આખું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. જેમાં વરસાદી પાણીની મદદથી જ વૃક્ષોને પાણી આપવાની અને સમગ્ર ડોમને વાતાનુકુલિત રાખવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી રહી છે. NIDના પાછળના વિસ્તારમાં, પશ્ચિમ કિનારે, અંદાજે 7000 ચોરસ મીટરના વિસ્તારમાં આ વિશાળ ડોમ ગાર્ડન બનાવવાનું આયોજન છે, જે માટે રૂ. 22 કરોડનો અંદાજીત ખર્ચ છે.

હાલમાં AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ આખું આયોજન ગતિશીલ તબક્કામાં છે અને એકવાર તેનું નિર્માણ પૂર્ણ થાય, તો રિવરફ્રન્ટના દરિયાકાંઠે વધારાનું એક નયનરમ્ય પીંછું ઉમેરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...