Monday, November 17, 2025

અમદાવાદમાં દુકાનદારો સાવધાન ! જો પાર્કિંગ નહીં હોય તો દુકાન સીલ થશે, 12 દુકાનોને પાર્કિંગ મામલે સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને લઈને આજે 25 એપ્રિલના રોજ શુક્રવારે રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દુકાનોના આગળ ગ્રાહકો પાર્કિગ કરતા હોવાથી જાહેર જનતાને અવર જવર માટે અડચણ થઈ રહી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કર્ણાવતી ક્લબની સામે આવેલી ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ સહિત 12 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી દુકાનો દ્વારા તેમના ગ્રાહકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં કરવાના કારણે કરવામાં આવી છે.

નોંધનીય છે કે, પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આ દુકાનાનો માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. અહીં દુકાને આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિતમાં અને મૌખિક વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં વાહનોના પાર્કિંગ માટે દુકાન માલિકો દ્વારા આપેલ બાંહેધરી મુજબ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

જેથી વાહનોને પરિવહનમાં સરળતા રહે તે હેતુસર અહીની કુલ 12 દુકાનોને સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ માલિકોએ નોટિસ પર ખાસ ધ્યાન આપ્યું નહોતું જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તંત્રએ દુકાનોને સીલ મારીને નોટિસ પણ આપી છે કે, નોટિસ પ્રમાણે વાત કરવામાં આવે કો, સીલ કરેલી દુકાનોમાં કોઈએ પ્રવેશ કરવો કરવો નહીં તેવું ચોખ્ખા શબ્દોમાં લગવામાં આવ્યું છે. જો કે, આ હુકમની અવગણના કરવામાં આવશે તો તેની જવાબદારી જેતે માલિકની રહેશે અને તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે, જો દુકાનો ફરી ચાલુ કરવી હોય તો પહેલા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે. બાકી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...