Wednesday, March 18, 2026

આજથી ડેઈલી અપડાઉન મુસાફરોને મળશે મોટી રાહત, હવે સચિવાલય સુધી મેટ્રોનો પ્રારંભ, સાત નવા સ્ટેશન કાર્યરત

spot_img
Share

અમદાવાદ : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવાઓમાં ઝડપથી વધારો કર્યો છે. આજથી 27 એપ્રિલ, 2025થી 7 નવા સ્ટેશનો પર મેટ્રો ટ્રેન દોડવાનો પ્રારંભ કર્યો છે. જેથી સચિવાલય સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકાશે. વાસણાથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેનનું ભાડું રૂપિયા 40 નક્કી કરાયું છે, 1 કલાકમાં સ્ટેશને પહોંચી શકાશે.

પ્રાપ્ત વિગતો મુજબ, મેટ્રો ટ્રેન સેવા મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધીનો પ્રારંભ કરાયો છે, જેમાં આ રૂટ પર લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે 7 નવા આધુનિક સ્ટેશનો પણ ઉમેરવામાં આવ્યા છે. GMRC ની આ નવી મેટ્રો સેવા રવિવારથી શરૂ કરાઈ છે. સચિવાલય તરફ જતો આ મેટ્રો રૂટ 27 એપ્રિલ 2025 થી શરૂ કરાઈ છે, તેની શરૂઆત પછી મેટ્રો ટ્રેન મોટેરાથી શરુ અને નવા સ્ટેશનો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ અને સેક્ટર-10ને જોડશે અને અંતે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચી હતી.

નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી સીધી અને ઝડપી બનશે. આ સિવાય નવું સ્ટેશન શરૂ થવાથી વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. જેના કારણે તેમને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેમજ મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. કારણ કે હવે તેમને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવાની જરૂર નહીં પડે. મેટ્રો ટ્રેન સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ પર્યાવરણના રક્ષણમાં પણ મદદ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...