Wednesday, March 11, 2026

અમદાવાદ મેટ્રો સ્ટાફની ઈમાનદારી : 4.59 લાખ રોકડ સાથેની બેગ મુસાફરને પરત કરી

spot_img
Share

અમદાવાદ: શહેરમાં પરિવહનની પારાશીશી બનેલી મેટ્રો સેવા તેની પરિવહન સેવા સાથે સાથે નિષ્ઠા અને ઈમાનદારીની પણ પ્રતિતિ કરાવી રહી છે. આજે કાલુપુર મેટ્રો સ્ટેશન પર એક મુસાફર રૂપિયા 4.59 લાખ રોકડ ભરેલી બેગ ભૂલી ગયો હતો. જેમાં મેટ્રો સેવાના સુરક્ષા ટીમ અને અન્ય સ્ટાફે મુસાફરને તેની રોકડ બેગ પરત કરીને ઈમાનદારીનો પરિચય કરાવ્યો હતો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 30 એપ્રિલ, 2025ના રોજ, સવારે 9:35 વાગ્યે, એક મુસાફર મેટ્રો સ્ટેશન પર આકસ્મિક રીતે 4,59,000 રોકડ ભરેલી બેગ છોડી ગયો હતો. સ્થળ પર હાજર સુરક્ષા ટીમ અને સ્ટેશન સ્ટાફની સતર્કતાના કારણે, બેગ ઝડપથી નજરે પડી હતી. SRP દ્વારા યોગ્ય ચકાસણી બાદ બેગમાં રોકડ રકમની પુષ્ટિ કરવામાં આવી હતી.

મેટ્રો સ્ટાફ દ્વારા ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ જ્યારે મૂળ માલિક બેગ પરત લેવા માટે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે સ્ટેશન કંટ્રોલરની ઉપસ્થિતિમાં જરૂરી ચકાસણી બાદ બેગ અને તેની અંદર રહેલી રોકડ રકમ સલામત રીતે પરત કરાઈ. પોતાનો કિંમતી સામાન પરત મળતાં મુસાફર ખૂબ જ ભાવુક બની ગયા અને મેટ્રો સ્ટાફની ઈમાનદારી અને અસરકારક કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો. તેમજ મેટ્રો સ્ટાફનો આભાર માનતાં ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હોવાનું મેટ્રો સેવા તંત્રએ જણાવ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...