Wednesday, January 21, 2026

અમદાવાદની આ સ્કૂલ ફરી વિવાદમાં સપડાઈ, વિદ્યાર્થીઓને એડમિશનને બદલે LC પકડાવ્યું

spot_img
Share

અમદાવાદ ખાતે આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વાર વિવાદમાં આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ ધોરણ 9 માં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને છે. સ્કૂલ દ્વારા પરિણામની સાથે સાથે વાલીઓને LC આપી દેવામાં આવ્યું છે. 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 250 જેટલા વાલીઓ આજે સ્કૂલમાં પરિણામ લેવા માટે ગયા હતા.સ્કૂલ દ્વારા પરિણામની સાથે સાથે વાલીઓને LC આપી દેવામાં આવ્યું છે. વાલીઓએ જ્યારે ધોરણ 9 માં પ્રવેશ માટેની વાત કરી ત્યારે સ્કૂલે ધોરણ 9માં પ્રવેશ આપવાની ના પાડી હતી.આ અંગે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

સ્કૂલ દ્વારા શિક્ષક ન હોવાનું આપવામાં આવ્યુ છે, આ મામલે DEO કચેરીને સ્કૂલ બંધ કરવા અરજી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ DEO કચેરી દ્વારા આ અરજી સ્વીકારી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેને લઈને 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.વાલીઓએ સ્કૂલમાં હોબાળો કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

ગત વર્ષે પણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા સ્કૂલ વિવાદમાં આવી હતી, અચાનક વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓના LC આપ્યાની ઘટના બની હતી. જેમાં LC આપવાનું કારણ શાળામાં શિક્ષક ન હોવાનું આપવામાં આવ્યુ હતુ. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.જો કે રાજસ્થાન સ્કૂલ મામલે DEOનો મહત્ત્વનો આદેશ આપ્યો હતો. જેમાં ધોરણ-9 હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા આદેશ કરાયો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...