Wednesday, March 11, 2026

અમદાવાદમાં ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર,રજિસ્ટ્રેશન વગર મકાન ભાડે આપનાર 100 સામે ગુનો

spot_img
Share

અમદાવાદ : જો તમે અમદાવાદમાં પોતાનું મકાન ભાડેથી આપતા હોવ તો પોલીસ રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગદિલ માહોલ અને આગામી દિવસોમાં યોજાનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે તપાસ શરૂ કરી છે.અમદાવાદ પોલીસે છેલ્લા બે દિવસમાં પોલીસ રજિસ્ટ્રેશન વગર મકાન ભાડે આપતા 100 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદમાં મકાન ભાડે આપનારા, પરંતુ પોલીસના નિયમોનો ભંગ કરનારા મકાન માલિકો સામે અમદાવાદ પોલીસે પગલા ભરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં પોલીસ દ્વારા છેલ્લાં બે દિવસ દરમિયાન પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવાના 100થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રો મુજબ, દરેક વિસ્તારમાં અમુક વસાહતો એવી છે કે જ્યાં લોકો કાગળ પરની કાર્યવાહી કર્યા વગર ગમે તે વ્યક્તિને મકાન ભાડે આપી દે છે, જેથી સ્થાનિક પોલીસ દ્વારા આવી જગ્યાએ જઈને ભાડૂઆતોની પૂછપરછ કરવામાં આવે છે. તેમાં નોંધણી કરાવ્યા વગરના જે ભાડૂઆત મળી આવે તેમના મકાન માલિક સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધવામાં આવે છે.

અમદાવાદમાં મકાન ભાડે આપ્યા બાદ પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. છતાં અનેક મકાન માલિકો પોલીસ વેરિફિકેશન કરાવતા નથી. આ રીતે તેઓ અમદાવાદ પોલીસના જાહેરનામાનો ભંગ કરે છે. મકાન માલિકે ભાડુઆતનું પોલીસ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...