Monday, September 21, 2026

અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને ફાડી ખાધી, ઘટનાના CCTV આવ્યા સામે

spot_img
Share

અમદાવાદ : શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકાં ભરી લીધાં હતાં. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણની રાધે રેસિડેન્સી ખાતે ગઇકાલે રાત્રે એક ભયાનક ઘટના બની હતી. જેમાં 4 માસની બાળકીને લઇને તેની માસી એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેઠી હતી. તેની આસપાસ બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક યુવતી અચાનક રોટવીલર બ્રીડના પાલતૂ શ્વાનને લઇને નીકળી હતી. યુવતી ફોન પર વાત કરી રહી હતી અને અચાનક જ કૂતરાએ હુમલો કરી દીધો. જેના કારણે કારણે તેના હાથમાંથી કૂતરું છુટી ગયું અને તેણે 4 માસની બાળકી પર એટેક કરી દીધો હતો. કૂતરાએ બાળકી પર હુમલો કરતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કમ નસીબે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પાલતુ શ્વાનના એટેકથી ફ્લેટના રહીશોમાં પણ ફફડાટ જોવા મળ્યો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

કોર્પોરેશનની ટીમ પણ ત્યાં તપાસ માટે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પાલતું શ્વાનનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે આપણે પહેલા જોઈશું કે આ માલિકે પોતાના પાલતું શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં.આ ગોઝારી ઘટના બાદ ત્યાં રહેતા લોકોનો રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે, અમારી સોસાયટીમાં અમારે એક પણ શ્વાન ના જોઈએ. આ ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...