Wednesday, March 11, 2026

અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને ફાડી ખાધી, ઘટનાના CCTV આવ્યા સામે

spot_img
Share

અમદાવાદ : શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકાં ભરી લીધાં હતાં. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણની રાધે રેસિડેન્સી ખાતે ગઇકાલે રાત્રે એક ભયાનક ઘટના બની હતી. જેમાં 4 માસની બાળકીને લઇને તેની માસી એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેઠી હતી. તેની આસપાસ બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક યુવતી અચાનક રોટવીલર બ્રીડના પાલતૂ શ્વાનને લઇને નીકળી હતી. યુવતી ફોન પર વાત કરી રહી હતી અને અચાનક જ કૂતરાએ હુમલો કરી દીધો. જેના કારણે કારણે તેના હાથમાંથી કૂતરું છુટી ગયું અને તેણે 4 માસની બાળકી પર એટેક કરી દીધો હતો. કૂતરાએ બાળકી પર હુમલો કરતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કમ નસીબે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પાલતુ શ્વાનના એટેકથી ફ્લેટના રહીશોમાં પણ ફફડાટ જોવા મળ્યો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

કોર્પોરેશનની ટીમ પણ ત્યાં તપાસ માટે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પાલતું શ્વાનનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે આપણે પહેલા જોઈશું કે આ માલિકે પોતાના પાલતું શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં.આ ગોઝારી ઘટના બાદ ત્યાં રહેતા લોકોનો રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે, અમારી સોસાયટીમાં અમારે એક પણ શ્વાન ના જોઈએ. આ ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...