Monday, January 19, 2026

અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને ફાડી ખાધી, ઘટનાના CCTV આવ્યા સામે

spot_img
Share

અમદાવાદ : શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકાં ભરી લીધાં હતાં. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણની રાધે રેસિડેન્સી ખાતે ગઇકાલે રાત્રે એક ભયાનક ઘટના બની હતી. જેમાં 4 માસની બાળકીને લઇને તેની માસી એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેઠી હતી. તેની આસપાસ બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક યુવતી અચાનક રોટવીલર બ્રીડના પાલતૂ શ્વાનને લઇને નીકળી હતી. યુવતી ફોન પર વાત કરી રહી હતી અને અચાનક જ કૂતરાએ હુમલો કરી દીધો. જેના કારણે કારણે તેના હાથમાંથી કૂતરું છુટી ગયું અને તેણે 4 માસની બાળકી પર એટેક કરી દીધો હતો. કૂતરાએ બાળકી પર હુમલો કરતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કમ નસીબે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પાલતુ શ્વાનના એટેકથી ફ્લેટના રહીશોમાં પણ ફફડાટ જોવા મળ્યો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

કોર્પોરેશનની ટીમ પણ ત્યાં તપાસ માટે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પાલતું શ્વાનનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે આપણે પહેલા જોઈશું કે આ માલિકે પોતાના પાલતું શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં.આ ગોઝારી ઘટના બાદ ત્યાં રહેતા લોકોનો રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે, અમારી સોસાયટીમાં અમારે એક પણ શ્વાન ના જોઈએ. આ ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...