Thursday, January 15, 2026

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થી માટે US કોન્સ્યુલેટે યુનિવર્સિટીઓેને શું કરી વિનંતી? જાણો વિગત

spot_img
Share

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે જાય છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિઝા સ્ટેજમાં પહોંચે તે પહેલા એકેડેમિક રેકોર્ડના વેરિફેકેશનમાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓેને ઈમેલ કરીને તમામ સંસ્થાઓમાં વેરિફિકેશન સેલ ઉભો કરવા વિનંતી કરી છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આ લેટર મોકલવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લેટરમાં કોન્સ્યુલેટ જનરલે લખ્યું છે, આ સેલથી સ્ટુડન્ટ વિઝા માટે સૌથી મહત્ત્વના ગણાતા શૈક્ષણિક રેકોર્ડનું ખૂબ ઝડપથી વેરિફિકેશન થઈ શકશે. વિઝા અરજી પ્રોસેસમાં શૈક્ષણિક રેકોર્ડનું વેરિફિકેશન ખૂબ મહત્ત્વનું છે. આ સેલ ઉભો કરવાથી અમે વધુ ચોકસાઈથી અને સમયસર વિઝા અરજી પ્રોસેસ કરી શકીશું. તેથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વેરિફિકેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી છે. આમ કરવાથી ડોક્યુમેંટ સમયસર ચેક થઈ શકશે અને કોમ્યુનિકેશન ચેનલ પણ વિકસશે. જેનાથી સીધો જ કોઈપણ જાતના ખર્ચ વગર અમેરિકાની સરકાર અને કોન્સ્યુલેટ સાથે સંપર્ક થઈ શકશે.

અમેરિકામાં સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિન માટે વિદ્યાર્થીઓની પિક સીઝન શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે જ આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,રાજ્યભરની યુનિવર્સિટીઓમાં અસંગત અને બિનકાર્યક્ષમ વેરિફિકેશન પ્રક્રિયાને કારણે વારંવાર વિલંબ થતો હોવાથી વિદ્યાર્થીઓ અને કોન્સ્યુલર અધિકારીઓ બંનેને અસર થાય છે.

સામાન્ય રીતે આ પ્રકારની ચકાસણીમાં જે તે દુતાવાસ કે જે વીઝા પ્રક્રિયા તે યુનિ.ને ડીગ્રીઓ મોકલે છે અને તેનું વેરીફીકેશન કરતુ હોય પરંતુ પ્રથમ વખત અમેરિકી કોન્સ્યુલેટ જનરલે ખાસ સુવિધા ઉભી કરવા માંગણી કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...