Wednesday, March 4, 2026

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થી માટે US કોન્સ્યુલેટે યુનિવર્સિટીઓેને શું કરી વિનંતી? જાણો વિગત

spot_img
Share

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે જાય છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિઝા સ્ટેજમાં પહોંચે તે પહેલા એકેડેમિક રેકોર્ડના વેરિફેકેશનમાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓેને ઈમેલ કરીને તમામ સંસ્થાઓમાં વેરિફિકેશન સેલ ઉભો કરવા વિનંતી કરી છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આ લેટર મોકલવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લેટરમાં કોન્સ્યુલેટ જનરલે લખ્યું છે, આ સેલથી સ્ટુડન્ટ વિઝા માટે સૌથી મહત્ત્વના ગણાતા શૈક્ષણિક રેકોર્ડનું ખૂબ ઝડપથી વેરિફિકેશન થઈ શકશે. વિઝા અરજી પ્રોસેસમાં શૈક્ષણિક રેકોર્ડનું વેરિફિકેશન ખૂબ મહત્ત્વનું છે. આ સેલ ઉભો કરવાથી અમે વધુ ચોકસાઈથી અને સમયસર વિઝા અરજી પ્રોસેસ કરી શકીશું. તેથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વેરિફિકેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી છે. આમ કરવાથી ડોક્યુમેંટ સમયસર ચેક થઈ શકશે અને કોમ્યુનિકેશન ચેનલ પણ વિકસશે. જેનાથી સીધો જ કોઈપણ જાતના ખર્ચ વગર અમેરિકાની સરકાર અને કોન્સ્યુલેટ સાથે સંપર્ક થઈ શકશે.

અમેરિકામાં સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિન માટે વિદ્યાર્થીઓની પિક સીઝન શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે જ આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,રાજ્યભરની યુનિવર્સિટીઓમાં અસંગત અને બિનકાર્યક્ષમ વેરિફિકેશન પ્રક્રિયાને કારણે વારંવાર વિલંબ થતો હોવાથી વિદ્યાર્થીઓ અને કોન્સ્યુલર અધિકારીઓ બંનેને અસર થાય છે.

સામાન્ય રીતે આ પ્રકારની ચકાસણીમાં જે તે દુતાવાસ કે જે વીઝા પ્રક્રિયા તે યુનિ.ને ડીગ્રીઓ મોકલે છે અને તેનું વેરીફીકેશન કરતુ હોય પરંતુ પ્રથમ વખત અમેરિકી કોન્સ્યુલેટ જનરલે ખાસ સુવિધા ઉભી કરવા માંગણી કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...