Friday, January 16, 2026

અમદાવાદના ‘મિની બાંગ્લાદેશ’ ચંડોળા તળાવમાં આજે ફરી ડિમોલિશન હાથ ધરાયું, 6 ધાર્મિક દબાણો દૂર કરાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવતા ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનનું કામ શરૂ થયું છે. ચંડોળા તળાવમાં મળી આવેલા તમામ નાના-મોટા કાચાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને 12,000 થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ મંદિરો અને મસ્જિદો જેવા કેટલાક ધાર્મિક સ્થળો તોડી પાડવાના બાકી હતા. આજે વહેલી સવારથી તંત્ર અને પોલીસ દ્વારા ધાર્મિક સ્થળો પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

આજે સવારથી ચંડોળા તળાવમાં દક્ષિણ ઝોન અને કોર્પોરેશનના અન્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે કડક પોલીસ સુરક્ષા વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર અને અન્ય મંદિરો અને મસ્જિદો સહિત 6 ધાર્મિક સ્થળો દૂર કર્યા છે. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવના કેટલાક સ્થળોએ નાના કાચાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.આ ઉપરાંત ઈસનપુર રોડ પર આવેલું જોગણી માતાનું મંદિર, દશામા મંદિર અને હનુમાન મંદિર દૂર કરવામાં આવ્યા છે.કુલ 6 જેટલા ધાર્મિક દબાણો પર મનપાની કાર્યવાહી.અગાઉ 34 જેટલા ધાર્મિક સ્થળો પર દબાણો દૂર કરાયા હતા.

આ પહેલા, આ વિસ્તારમાંથી 2 લાખ ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ બાંધકામો મોટાભાગે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા કરવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં મોટા પાયે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં અગાઉ 34 ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે.

આ ખાસ કરીને, ચોકીદાર બાવની દરગાહ (શાહઆલમ પાસે), ગરીબ નવાજ મસ્જિદ (નાના ચાંડોળા પાસે), પાપામિયા શાહી દરગાહ, અને ઈશાનપુર રોડ પર આવેલા કેટલાક ગેરકાયદેસર મંદિરોને પણ તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ, કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવની આસપાસ એક દીવાલ પણ બનાવવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...