Wednesday, February 11, 2026

અમદાવાદમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડનાર પરીણિતાની ઘરમાં ઘૂસી છરીના ઘા મારી કરી હત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. પ્રેમ સંબંધમાં યુવકે પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસી તેની હત્યા કરી છે. મૃતક મહિલા પોતાના પતિ, સાસુ અને દીકરી સાથે લગ્ન જીવન પસાર કરી રહી હતી. ત્યારે આ મહિલાને તેના પ્રેમિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. મહિલાના પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. પોલીસે હાલ બંને આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વરસ્ત્રાલમાં હર ભોળેનાથ સોસાયટીમાં મંગળવારે અશોક પટેલ નામના વ્યક્તિએ અંકિતા પ્રજાપતિ નામની મહિલાની તેના જ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલાનો આરોપી અશોક પટેલ સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે બંનેના પરિવાર વચ્ચે પણ અગાઉ માથાકૂટ થયેલી હતી. ત્યારબાદ અચાનક મંગળવારે અશોક પટેલ અને તેમની સાથે એક વ્યક્તિ અંકિતા પ્રજાપતિના ઘરે આવી તેમને છરીના ઘા મારી તેમની હત્યા નિપજાવે છે.

પોલીસ ફરિયાદ અનુસાર,27મી મે 2025 ના રોજ ફરિયાદી તેઓના ગેરેજ પર હતા, તે સમયે સાંજના પોણા છ વાગે તેઓની પત્ની અંકિતાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે અશોક પટેલ તેને ફોન કરી મળવા બોલાવે છે અને તેણે ના પાડતા તે ઘરની બહાર બાઈક લઈને આંટા મારે છે. જેથી તેણે દીકરી સાથે પતિની દુકાને આવવાનું કહેતા તેના પતિએ ના પાડતા તે પોતે ઘરે આવે છે તેવું જણાવ્યું હતું. જોકે થોડાક સમય બાદ તેઓની સોસાયટીમાંથી બાજુમાં રહેતા વ્યક્તિએ અને તેઓની દીકરીએ ફોન કરી અશોક પટેલે અંકિતાને છરી મારી છે, તેવું કહેતા તે પોતાના ઘરે પહોંચ્યા હતા અને જ્યાં તેની પત્ની મૃત હાલતમાં જોવા મળી હતી. અશોક પટેલે તેને આંતરડા બહાર આવી જાય ત્યાં સુધી છરીઓ મારી હતી.

ફરિયાદીની માતા સાંજના સમયે ઘરે હાજર હતા, તે સમયે અશોક પટેલ અચાનક તેઓના ઘરે આવ્યો હતો અને યુવતી ઘરમાં રસોઈ કરતી હતી, તે દરમિયાન તેણે રસોડામાં જઈને તેની સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક જ પોતાની પાસે રહેલા ચપ્પાથી ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેના કારણે અંકિતાને ઈજાઓ તથા તેની નીચે બેસી ગઈ હતી અને અશોક પટેલ પોતાના મિત્ર સાથે બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અશોક પટેલ અને તેના મિત્ર સન્ની સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. જોકે હવે આરોપીની તપાસમાં હત્યા પાછળનું કારણ શું છે તે સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...