Monday, November 17, 2025

અમદાવાદમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડનાર પરીણિતાની ઘરમાં ઘૂસી છરીના ઘા મારી કરી હત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. પ્રેમ સંબંધમાં યુવકે પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસી તેની હત્યા કરી છે. મૃતક મહિલા પોતાના પતિ, સાસુ અને દીકરી સાથે લગ્ન જીવન પસાર કરી રહી હતી. ત્યારે આ મહિલાને તેના પ્રેમિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. મહિલાના પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. પોલીસે હાલ બંને આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વરસ્ત્રાલમાં હર ભોળેનાથ સોસાયટીમાં મંગળવારે અશોક પટેલ નામના વ્યક્તિએ અંકિતા પ્રજાપતિ નામની મહિલાની તેના જ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલાનો આરોપી અશોક પટેલ સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે બંનેના પરિવાર વચ્ચે પણ અગાઉ માથાકૂટ થયેલી હતી. ત્યારબાદ અચાનક મંગળવારે અશોક પટેલ અને તેમની સાથે એક વ્યક્તિ અંકિતા પ્રજાપતિના ઘરે આવી તેમને છરીના ઘા મારી તેમની હત્યા નિપજાવે છે.

પોલીસ ફરિયાદ અનુસાર,27મી મે 2025 ના રોજ ફરિયાદી તેઓના ગેરેજ પર હતા, તે સમયે સાંજના પોણા છ વાગે તેઓની પત્ની અંકિતાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે અશોક પટેલ તેને ફોન કરી મળવા બોલાવે છે અને તેણે ના પાડતા તે ઘરની બહાર બાઈક લઈને આંટા મારે છે. જેથી તેણે દીકરી સાથે પતિની દુકાને આવવાનું કહેતા તેના પતિએ ના પાડતા તે પોતે ઘરે આવે છે તેવું જણાવ્યું હતું. જોકે થોડાક સમય બાદ તેઓની સોસાયટીમાંથી બાજુમાં રહેતા વ્યક્તિએ અને તેઓની દીકરીએ ફોન કરી અશોક પટેલે અંકિતાને છરી મારી છે, તેવું કહેતા તે પોતાના ઘરે પહોંચ્યા હતા અને જ્યાં તેની પત્ની મૃત હાલતમાં જોવા મળી હતી. અશોક પટેલે તેને આંતરડા બહાર આવી જાય ત્યાં સુધી છરીઓ મારી હતી.

ફરિયાદીની માતા સાંજના સમયે ઘરે હાજર હતા, તે સમયે અશોક પટેલ અચાનક તેઓના ઘરે આવ્યો હતો અને યુવતી ઘરમાં રસોઈ કરતી હતી, તે દરમિયાન તેણે રસોડામાં જઈને તેની સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક જ પોતાની પાસે રહેલા ચપ્પાથી ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેના કારણે અંકિતાને ઈજાઓ તથા તેની નીચે બેસી ગઈ હતી અને અશોક પટેલ પોતાના મિત્ર સાથે બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અશોક પટેલ અને તેના મિત્ર સન્ની સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. જોકે હવે આરોપીની તપાસમાં હત્યા પાછળનું કારણ શું છે તે સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...