Thursday, January 15, 2026

અમદાવાદમાં ઈસ્કોનથી પકવાન સુધીનો સર્વિસ રોડને ગ્રીન સ્ટ્રીપ તરીકે ડેવલપ કરાશે

spot_img
Share

અમદાવાદ :અમદાવાદમાં ‘AMC દ્વારા SG હાઈવે પર ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન જંક્શન સુધીનાં રસ્તાની બંન્ને બાજુનાં સર્વિસ રોડને સિટી એન્ટ્રી તરીકે આઈકોનિક ડિઝાઈન સાથે ડેવલપ કરવા આયોજન કરાયું છે અને આ સર્વિસ રોડને રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે સિટી એન્ટ્રી તરીકે આઈકોનિક ડિઝાઈન સાથે ડેવલપ કરવામાં આવશે. SG હાઇવેને વધુ આકર્ષક બનાવવા હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેની ગ્રીન સ્ટ્રીપને ખરા અર્થમાં ગ્રીન સ્ટ્રીપ તરીકે ડેવલપ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, SG હાઈવેને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત બનાવવા ફ્લાયઓવર બનાવાયા છે અને વધુ ફ્લાયઓવર બની રહ્યાં છે. તેની સાથે સાથે હાઇવેને વધુ આકર્ષક બનાવવા હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેની ગ્રીન સ્ટ્રીપને ખરા અર્થમાં ગ્રીન સ્ટ્રીપ તરીકે જ ડેવલપ કરવામાં આવશે. એટલે કે શહેરના હાઈવેથી શહેરમાં પ્રવેશતાં માર્ગો ઉપર સિટી એન્ટ્રીડેવલપ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. તેનાં ભાગરૂપે ઈસ્કોન જંક્શનથી પકવાન જંક્શન સુધીનાં સર્વિસ રોડને ડેવલપ કરવાનાં પ્રોજેક્ટમાં જુદી-જુદી ડિઝાઈનનાં સ્ટ્રીટ લાઈટ પોલ, ડેકોરેટિવ ફ્ટિીંગ્સથી રોડની સુંદરતામાં વધારો થશે તેમજ ફૂટપાથ અને ગ્રીન પેચ તેમજ આગવી લાઈટથી ગ્રીનરી નીખરી આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પકવાન ચાર રસ્તા અને સર્વિસ રોડથી શહેરમાં પ્રવેશનારને લાઈટીંગ અને ગ્રીનરી વગેરેનાં કારણે આઈકોનિક રોડ જેવો અનુભવ થશે. આ સર્વિસ રોડ પર નવા આધુનિક ડિઝાઈન ધરાવતાં સ્ટ્રીટ પોલ તેમજ નવી ડિઝાઈનની ફૂટપાથ અને ગ્રીન પેચમાં ડેકોરેટિવ ફ્ટિીંગ્સ સહિત નવા પોસ્ટ ટોપ પોલ્સ સહિતની કામગીરી માટે ટેન્ડર મંગાવાયા હતા અને AMCના અંદાજ કરતાં 13.13 ટકા ઓછા ભાવ આપનાર કોન્ટ્રાક્ટરના ટેન્ડર સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે.

સર્વિસ રોડનાં ડેવલપમેન્ટ બાદ રાત્રિનાં સમયે હરવા ફરવાનુ સ્થળ બની રહેશે તે નિશ્ચિત છે અને આસપાસનાં કોમર્શિયલ એકમોમાં ફરજ બજાવતાં લોકો દિવસ દરમિયાન ગ્રીનરી ધરાવતાં સર્વિસ રોડ ઉપર તેમનો થાક કંટાળો દૂર કરી શકશે. આ સર્વિસ રોડ ઉપર ગ્રીન પેચમાં લેન્ડસ્કેપીંગ અને બાળકોને રમતગમતનાં સાધનો પણ મુકવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...