Friday, January 16, 2026

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પૈસાની લેતીદેતી મામલે વેપારી પર જીવલેણ હુમલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પોતાના મિત્ર સાથે ઉભો હતો, આ દરમિયાન આઠથી દસ જેટલા લોકો આવ્યા અને લાકડી વડે ઢોરમાર મારવા લાગ્યાં હતા. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ધોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઉભો હતો. ત્યારે વેપારી પર પૈસાની લેતીદેતી બાબતે બાઈક પર અને દોડીને આવી રહેલા 8થી 10 શખસોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો પણ છોડાવવા પડ્યા છતાં વેપારીને માર માર્યો હતો.જેથી ઘટનાને ગંભીરતાથી લેતા વટવા GIDC પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કમલેશ સામત નામના વેપારીને માર મારવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વટવા GIDC પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...