Sunday, September 20, 2026

નિર્ણયનગરમાં પુત્રએ છરીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, આ રીતે પ્લાનિંગ કરીને આપ્યો ગુનાને અંજામ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. નિર્ણયનગર વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. પરિવારના સભ્યોની હાજરીમાં જ યુવકે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા પિતાનું ઘરમાં જ મોત થયું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પુત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 27 મી જુનના રોજ એક તરફ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમતી ઉજવવામાં આવી હતી ત્યારે તે જ દિવસે વહેલી સવારે 5:00 વાગે નિર્ણયનગર વિસ્તારમાં આવેલ રામપ્રતાપ નગર સોસાયટીમાં દિલીપ દુર્ગારામ મેઘવાલ નામના યુવકે તેના જ પિતાની હત્યા કરી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દિલીપે ઘરમાં પોતાની પાસે સુઈ રહેલા તેના પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી 9 જેટલા ઘા માર્યા હતા. જેના કારણે બુમાબુમ થતા આરોપીની બે બહેનો લતાબેન અને તરુણાબેન તેમજ નાનો ભાઈ નિખિલ અને તેની માતા જમકુબેન દુર્ગા રામને બચાવવા વચ્ચે પડ્યા હતા.

તે સમયે દિલીપે તેની બહેન લતાના વાળ ખેંચી તેને માર માર્યો હતો અને તરુણાબેનને ચપ્પુથી માથામાં હુમલો કરતા ચપ્પુ તેના માથામાં ઘૂસી જતા ફસાઈ ગયું હતું. જે બાદ નિખિલ મેઘવાલે તેને પકડી બાલ્કની પાસે ઉભો રાખ્યો હતો અને 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ત્યાં પહોંચતા જ જોતા દુર્ગારામ મેઘવાલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વાડજ પોલીસે પિતાના હત્યારા દિલીપની ધરપકડ કરી છે. દિલીપ વિરુદ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...