Wednesday, March 11, 2026

નિર્ણયનગરમાં પુત્રએ છરીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, આ રીતે પ્લાનિંગ કરીને આપ્યો ગુનાને અંજામ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. નિર્ણયનગર વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. પરિવારના સભ્યોની હાજરીમાં જ યુવકે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા પિતાનું ઘરમાં જ મોત થયું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પુત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 27 મી જુનના રોજ એક તરફ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમતી ઉજવવામાં આવી હતી ત્યારે તે જ દિવસે વહેલી સવારે 5:00 વાગે નિર્ણયનગર વિસ્તારમાં આવેલ રામપ્રતાપ નગર સોસાયટીમાં દિલીપ દુર્ગારામ મેઘવાલ નામના યુવકે તેના જ પિતાની હત્યા કરી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દિલીપે ઘરમાં પોતાની પાસે સુઈ રહેલા તેના પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી 9 જેટલા ઘા માર્યા હતા. જેના કારણે બુમાબુમ થતા આરોપીની બે બહેનો લતાબેન અને તરુણાબેન તેમજ નાનો ભાઈ નિખિલ અને તેની માતા જમકુબેન દુર્ગા રામને બચાવવા વચ્ચે પડ્યા હતા.

તે સમયે દિલીપે તેની બહેન લતાના વાળ ખેંચી તેને માર માર્યો હતો અને તરુણાબેનને ચપ્પુથી માથામાં હુમલો કરતા ચપ્પુ તેના માથામાં ઘૂસી જતા ફસાઈ ગયું હતું. જે બાદ નિખિલ મેઘવાલે તેને પકડી બાલ્કની પાસે ઉભો રાખ્યો હતો અને 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ત્યાં પહોંચતા જ જોતા દુર્ગારામ મેઘવાલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વાડજ પોલીસે પિતાના હત્યારા દિલીપની ધરપકડ કરી છે. દિલીપ વિરુદ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...