Tuesday, January 20, 2026

નિર્ણયનગરની આ સ્કૂલ ખાતે 238 શિક્ષકોને નિમણુંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રાજ્ય શૈક્ષણિક ભરતી સમિતિ તથા નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તે અન્વયે તારીખ 8/7/2025 ના રોજ અમદાવાદ જિલ્લાની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 238 શિક્ષણ સહાયકો ફળવાયા હતા,જેમને એક જ સ્થળે નિમણુંકપત્રો આપવા માટે નિમણુંકપત્રો એનાયત કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નિર્ણયનગર ખાતે યોજાયો ગયો.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ફડવાયેલા 238 ઉમેદવારોને સાબરમતી વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા, બાંધકામ સમિતિના ચેરમેન ઇશ્વરભાઇ મકવાણા, રાજ્ય શાળા સંચાલક મંડળના તેમજ ભરતી સમિતિના સભ્ય મનુભાઈ રાવલ, માધ્યમિક શિક્ષણ બોર્ડ સદસ્ય તેમજ ભરતી સમિતિના બોર્ડ સદસ્ય ડો.જે.વી. પટેલ, બોર્ડ સદસ્ય પુરુષોત્તમભાઈ સોનારા, અમદાવાદ જિલ્લા શિક્ષણવિદ ગુણવંતભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ માણેક ભાઈ પટેલ તથા અન્ય મહાનુભવો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષકો વગેરે ઉપસ્થિત રહેલા મહાનુભવો દ્વારા ઉમેદવારો અને નિમણુંકપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન જહા દ્વારા નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવી તેઓને ફરજો તથા શિક્ષક તરીકે તેઓની ગરિમા સાધારણ કભી શિક્ષક નહીં હોતા તેવી વાત કરી પ્રેરિત કરવામાં આવ્યા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો.જે.વી પટેલ અને મનુભાઈ રાવલ દ્વારા શિક્ષકોને શુભેચ્છાઓ અને આશિર્વચનો આપવામાં આવ્યા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...