Wednesday, March 11, 2026

નિર્ણયનગરની આ સ્કૂલ ખાતે 238 શિક્ષકોને નિમણુંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રાજ્ય શૈક્ષણિક ભરતી સમિતિ તથા નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તે અન્વયે તારીખ 8/7/2025 ના રોજ અમદાવાદ જિલ્લાની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 238 શિક્ષણ સહાયકો ફળવાયા હતા,જેમને એક જ સ્થળે નિમણુંકપત્રો આપવા માટે નિમણુંકપત્રો એનાયત કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નિર્ણયનગર ખાતે યોજાયો ગયો.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ફડવાયેલા 238 ઉમેદવારોને સાબરમતી વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા, બાંધકામ સમિતિના ચેરમેન ઇશ્વરભાઇ મકવાણા, રાજ્ય શાળા સંચાલક મંડળના તેમજ ભરતી સમિતિના સભ્ય મનુભાઈ રાવલ, માધ્યમિક શિક્ષણ બોર્ડ સદસ્ય તેમજ ભરતી સમિતિના બોર્ડ સદસ્ય ડો.જે.વી. પટેલ, બોર્ડ સદસ્ય પુરુષોત્તમભાઈ સોનારા, અમદાવાદ જિલ્લા શિક્ષણવિદ ગુણવંતભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ માણેક ભાઈ પટેલ તથા અન્ય મહાનુભવો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષકો વગેરે ઉપસ્થિત રહેલા મહાનુભવો દ્વારા ઉમેદવારો અને નિમણુંકપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન જહા દ્વારા નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવી તેઓને ફરજો તથા શિક્ષક તરીકે તેઓની ગરિમા સાધારણ કભી શિક્ષક નહીં હોતા તેવી વાત કરી પ્રેરિત કરવામાં આવ્યા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો.જે.વી પટેલ અને મનુભાઈ રાવલ દ્વારા શિક્ષકોને શુભેચ્છાઓ અને આશિર્વચનો આપવામાં આવ્યા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...