Friday, January 16, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ફ્લેટમાંથી દારૂ મહેફિલ ઝડપાઈ, 3 યુવતી સહિત 2 છોકરાની કરાઈ ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાંથી દારુની મહેફિલ ઝડપાઇ છે, વસ્ત્રાપુરમાં આવેલ NIR રેસીડેન્સીમાં ચાલી રહી હતી દારુની મહેફિલ અને પોલીસને બાતમી મળી હતી તો તે બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે 3 યુવતી સહિત 2 છોકરાની ધરપકડ કરી છે, પોલીસે કલ્પિત ઠક્કર, વિષ્ણુ સાઈ ચેતન, રોશની ગોયંકા, પ્રીતિ અગ્રવાલ, લક્ષ્મી કોયાની ધરપકડ કરી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 11:30 વાગ્યે એક મેસેજ મળ્યો હતો કે, વસ્ત્રાપુરના NRI ટાવરના A વિંગમાં કેટલાક છોકરા-છોકરીઓ ડ્રિન્ક કરીને ડાન્સ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટાવરના ત્રીજા માળે જઈ તપાસ કરી તો ફલેટ નંબર 304માં દારૂની મહેફિલ ચાલતી હતી તો પોલીસે ઘરમાંથી દારૂની બોટલ અને બાઈટીંગ જપ્ત કર્યુ હતુ, અને પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો, પોલીસે તમામના મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે.

ઝડપાયેલા 5 લોકોની પોલીસે પૂછપરછ કરી તેમાં સામે આવ્યું કે એક યુવતીએ આ મકાન ભાડે રાખ્યું હતુ અને તેના મિત્રોને દારૂની પાર્ટી માટે બોલાવ્યા હતા અને પોલીસે મકાન માલિકનો પણ સંપર્ક કર્યો છે, પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...