Saturday, January 24, 2026

એક નઈ સોચ : હવે બાળકો માતાપિતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા ફરજ પાડશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે,બીજીબાજુ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમો અને નિયમોના પાલન વિષે જાગ્રુત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરુ કર્યો છે.જે અંતર્ગત બાળકો હવે તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તથા ટ્રાફિક નિયમનું સખ્ત પાલન કરવા ફરજ પાડશે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા શરુ કરાયેલા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.સ્વસ્તિક સ્કુલના શિસ્તબધ્ધ બાળકોએ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) એન.એન.ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.પોલીસ યુનિફોર્મમાં શિસ્તબધ્ધ રીતે ઉભા રહેલા બાળકોએ JCP એન.એન.ચૌધરીને સેલ્યુટ કર્યું ત્યારે તેઓ ગદ્દગદીત થઈ ગયા હતા.તેમણે પણ બાળકોને સેલ્યુટ કરી હાથ મિલાવ્યા હતા.તે સાથે જ બાળકોએ ટેરેસ પરથી JCP એન.એન.ચૌધરી પર પુષ્પવર્ષા કરી હતી.

 

એક નઈ સોચ કાર્યક્રમમાં JCP એન.એન.ચૌધરીએ બાળકોને સંબોધન કરતાં કહ્યું હતું કે વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે.વાહન અકસ્માતો થવાના મુખ્ય કારણો એ છે કે વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોન પર વાત કરીએ છીએ, વાહન રોંગ સાઈડમાં ચલાવીએ છીએ તથા ટ્રાફિકના નિયમનો ભંગ કરીએ છીએ.તમે સ્કુલમાં હોમવર્ક ન કરો તો ટીચર્સ પનીશમેન્ટ કરે છે તે રીતે તમે ટ્રાફિકના નિયનોનો ભંગ કરો છો એટલે પોલીસ તમને દંડ કરે છે.દરેક બાળકોએ તેમના માતાપિતાને ટ્રાફિકના નિયમોનું પાલન ફરજીયાત કરાવવું જોઈએ.અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટનાઓ કાબુમાં આવે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે,પોલીસે છેલ્લા એક માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દોઢ કરોડ રુપીયાનો દંડ વસુલ કર્યો છે.છેલ્લા બે દિવસથી પોલીસ સખ્તાઈથી ડ્રાઈવ શરુ કરી છે.છેલ્લા બે દિવસમાં 2017 જેટલા કેસ કર્યા છે,41 વાહન ચાલકો સામે ગુના નોંધ્યા છે, 30 વાહનો ડીટેેઈન કર્યા છે અને 30 લાખ રુપીયાની પેનલ્ટી વસુલ કરી છે.

 

અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP ડો.નીતાબેન દેસાઈએ બાળકોને ટ્રાફિક નિયમનું પાલન કરવાના ફાયદા દર્શાવતાં કહ્યું હતું કે ટ્રાફિક નિયમનું પાલન કરવાથી અકસ્માતો નડતા નથી.અમદાવાદમાં રાહદારીઓ અને ટુવ્હીલર્સ ને સૌથી વધુ અકસ્માતો નડે છે.કારણકે રાહદારીઓ રોડ ક્રોસ કરતા સમયે બેધ્યાન હોય છે,તેઓ ઝીબ્રા ક્રોસીંગનો ઉપયોગ કરતા નથી.વાહન ચાલકો રેડ સિગ્નલનો ભંગ કરતા હોય છે.વાહન ચલાવતા હોય છે ત્યારે ફોન પર વાત કરતા રહે છે.કાર ચાલકો પણ બે ફામ ઝડપે કાર ચલાવતા હોય છે.રોંગ સાઈડ ઓવરટેકના કારણે પણ અકસ્માતો થતા હોય છે.બાળકોને અનુરોધ કર્યો હતો કે તમારા માતાપિતા હેલ્મેટ ન પહેરે તો વાહન પર બેસવું નહીં,બાળકોએ જ માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ.

એક નઈ સોચ કાર્યક્રમના સ્પોન્સર સ્વસ્તિક સ્કુલના સંસ્થાપક સુરેશ પટેલે બાળકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા અને તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા શિખામણ આપી હતી.તેમણે કહ્યું હતું કે શાળામાં સાયકલ લઈને આવતા બાળકો નિયમનું પાલન કરશે.જે બાળકોને તેમના માતાપિતા ટુવ્હીલર્સ પર લેવા મુકવા આવે છે.તે માતાપિતા હેલ્મેટ પહેર્યા વગર સ્કુલમાં આવશે તે તેમને શાળા પેનલ્ટી કરશે.તેમણે JCP એન.એન.ચૌધરીને વચન આપ્યું હતું કે દરેક બાળકોના માતાપિતા ટ્રાફિક નિયમનું પાલન કરશે.

ટ્રાફિક વિભાગના ACP એસ.જે.મોદીએ બાળકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા તથા તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.બાળકો પણ ટ્રાફિક નિયમનો ભંગ કરવાથી થતા નુકશાનની ગંભીરતા સમજીને માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલના કરાવવા વચનબધ્ધ બન્યા હતા.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા દર શનિવારે જુદીજુદી શાળાઓમાં એક નઈ સોચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.જે અંતર્ગત શાળાના બાળકોમાં સલામતી,સુરક્ષા,સાવધાની અને સતર્કતા લાવવાનો પ્રયાસ છે.જેના કારણે બાળકો તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવશે તો ચોક્કસથી વાહન અક્માતોની ઘટનામાં ઘટાડો થઈ શકશે.સ્વસ્તિક સ્કુલના ટ્રસ્ટી કિશન પટેલ તથા સ્કુલના ટીમ દ્વારા પ્રેરણાદાયી આયોજન સફળતાપુર્વક કરાયું હતું.આ પ્રસંગે ટ્રાફિક વિભાગના પોલિસ ઈન્સ્પેક્ટર સુનિતા પટેલ, એન એ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં આયોજીત એક નઈ સોચ કાર્યક્રમ થી પ્રભાવિત થયેલા પાટણના રાજુભાઈ પટેલ, જગદીશ જી ઠાકોર તથા કિર્તીભાઈ પટેલે પાટણ અને ગાંધીનગર જીલ્લાની શાળાઓ માં પણ એક નઈ સોચ કાર્યક્રમ કરવાની તૈયારી દર્શાવી હતી. જેસીપી એન. એન. ચૌધરી એ તેમને મોમેન્ટો આપી કાર્યક્રમોની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...