Friday, January 16, 2026

અમદાવાદમાં 14માં માળેથી યુવકે લગાવી મોતની છલાંગ, પ્રાઈવેટ ટ્યુશન ક્લાસથી ગુજરાન ચલાવતો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિવિધ કારણોસર લોકો જિંદગી ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલના મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી કૂદીને એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલના મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી કૂદીને અમિતકુમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે.આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. તેઓ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને તેના પર જ પરિવારનું ગુજરાન ચાલતું હતું. તેમણે આત્મહત્યા કરી એ સમયે તેમની પત્ની સવારે એક્સરસાઈઝ માટે બહાર ગઈ હતી. તેની ગેરહાજરીમાં અમિતકુમારએ આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે. અમિતકુમારના આ પગલાથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે મેરીગોલ્ડ ફ્લેટમાં ડી 1403માં ભાડેથી રહેતા અમિતકુમાર આત્મહત્યા કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે મૃતક પહેલા ફ્લોર પર આંટાફેરા મારી રહ્યો છે અને ત્યારબાદ અચાનક તે કૂદે છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આર્થિક સંકડામણને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.

અમિતકુમારના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. હાલ બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે અને યુવકે કયા કારણોસર આમ જીવન ટૂંકાવી દીધું, તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો અને નજીકના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...