Tuesday, January 20, 2026

ન્યુ રાણીપમાં મહિલા કોન્સ્ટેબલ વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ, આરોપીએ 2.63 લાખ મેળવીને ચેક રિટર્ન કરાવીને ત્રાસ આપ્યો

spot_img
Share

અમદાવાદ : પોલીસ કર્મચારીઓ પણ હવે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે પોતાના ભાઇને પાર્લર કરાવી આપવા માટે પડોશી પાસેથી 1.98 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ પર લીધા હતા. કોન્સ્ટેબલે 1.98 લાખની સામે 2.63 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરે ઉઘરાણી ચાલુ રાખતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.અને આ બાબતે સાબરમતી પોલીસે સાહિલ પટેલ નામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ પાસે રહેતા સંગીતા બારીયાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં સાહીલ પટેલ (રહે, તિરૂપતિ સોસાયટી, ન્યુ રાણીપ) વિરૂદ્ધ વ્યાજખોરીની ફરિયાદ કરી છે. હાલ તેઓ અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વર્ષ 2016થી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2023માં ફરિયાદીના ભાઈ શ્યામને પાન પાર્લર ચાલુ કરવા માટે કેટલાક રૂપિયાની જરૂર હતી. જેથી તેમણે તેમની જ સોસાયટીમાં રહેતા સાહિલ પટેલ નામના યુવકને વાત કરી હતી. સાહિલએ ફરિયાદીને રૂપિયા આપવા માટેની તૈયારી બતાવી હતી. અને અલગ અલગ સમયે ફરિયાદીના ખાતામાં કુલ રૂપિયા 1.98 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

ફરિયાદીએ આપેલા રૂપિયા બે મહિનામાં પરત આપી દેવાની બાંયધરી આપી હતી. આ સમયે સાહિલએ ફરિયાદી પાસેથી બે કોરા ચેક પણ મેળવી લીધા હતા. અને જો પૈસા પરત ના આપે તો દર મહિને 5 ટકા વ્યાજ આપવા માટેની પણ વાત કરી હતી. ફરિયાદીએ સાહિલને કુલ 2.63 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં આરોપી સાહિલે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. અને ચેક બેંકમાં ભરીને રિટર્ન કરાવ્યો હતો. આખરે કંટાળીને મહિલા કોન્સ્ટેબલએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતાં પોલીસે સાહિલ પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...