Wednesday, January 21, 2026

અમદાવાદના આ રિક્ષા ચાલકની ઈમાનદારી, પેસેન્જરની સોના-દાગીના ભરેલી બેગ પોલીસને સોંપી, પોલીસ તરફથી મળ્યું પ્રશંસા પ્રમાણપત્ર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં એક રીક્ષાવાળાને કિંમતી સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજોથી ભરેલું એક બેગ મળ્યું. આ બેગ તે પોતાની પાસે રાખીને એક સારી જિંદગી જીવી શકતો હતો. પોતાની પાસે રાખીને ભવિષ્ય સુનિશ્ચિત કરી શકો હતો. પરંતુ તેણે આમ ન કર્યું અને ઈમાનદારી બતાવતા બેગને તેના સાચા માલિક સુધી પહોંચાડવા માટે પોલીસને સોંપ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન 85ના સભ્ય મહેશભાઈ પટણી 6 ઓગસ્ટ, 2025ના રોજ મહેશભાઈએ માણેકચોકથી એક પેસેન્જરને હોટલ સુધી પહોંચાડ્યા હતા.પેસેન્જરને ઉતારીને નીકળ્યા બાદ તેમના ધ્યાનમાં આવ્યું કે રીક્ષાની પાછળની સીટ પર મુસાફર પોતાની બેગ ભૂલી ગયા છે. મહેશભાઈ તરત જ હોટલ પર પાછા ફર્યા પરંતુ ત્યાં પેસેન્જર મળ્યા નહીં.બેગની તપાસ કરતા તેમાં કિંમતી સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું. મહેશભાઈએ વિના વિલંબે કાલુપુર પોલીસ સ્ટેશન જઈને ઇન્સ્પેક્ટર એચ.આર. વાઘેલાને બેગ સોંપી દીધી.

તેમની આ પ્રામાણિકતા અને ઈમાનદારીની કદર કરતાં કાલુપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.આર. વાઘેલાએ મહેશભાઈ પટણીને પ્રશંસા પ્રમાણપત્ર આપ્યું છે.આ ઘટના સમાજમાં ઈમાનદારી અને નૈતિક મૂલ્યોનું મહત્વ દર્શાવે છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન 85ના ખજાનચી શંકરભાઈ ભીખાભાઈ રાઠોડે પણ મહેશભાઈની આ પ્રશંસનીય કામગીરીની નોંધ લીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...