Saturday, January 24, 2026

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 પછી દર્શન કરવા નહીં મળે…!!!

spot_img
Share

અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક મેળાનું આયોજન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ મેળો લાખો ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ બની રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંબાજી ખાતે યોજાયેલી ભાદરવી પુનમીયા સંઘની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત આ મીટિંગમાં પહોંચ્યા હતા. આ સિવાય બનાસકાંઠા કલેકટર, એસ પી મંદિર વહીવટદાર સહીત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભાદરવી પૂનમના મેળામાં 1624 સંઘો રજીસ્ટર થયેલા છે જે મેળા દરમ્યાન અંબાજી આવશે. દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગે સુધી મેળા દરમ્યાન ખુલ્લું રખાશે.

ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી બપોર 12:30થી ગર્ભગૃહ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે. ભાદરવી પૂનમના દિવસે સાંજે 5 વાગ્યાં બાદ ચંદ્ર ગ્રહણના લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. હમણાં સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઇ ચુકી છે. સમગ્ર અંબાજીમાં CCTV કેમેરા લગાવીને 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. રાત્રીના સમય ભક્તોને તકલીફ ના પડે તે માટે માકણચમ્પા, અંબાઘાટા, વિરમપુર રોડ, અને આબુરોડના રસ્તા પર સ્ટ્રીટ લાઈટ લગાડશે. વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલાયદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે, જેમાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે.

અંબાજી ખાતે સમીક્ષા બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસ.ટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો 2025 માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

ભાદરવી પૂનમના મહામેળાને લઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમ જ તમામ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેની વિવિધ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આવવા જવા માટે વાહનો અને તે વાહનોનું યોગ્ય પાર્કિંગ પણ કરવા સહિત તેમની સુરક્ષા માટે પોલીસ CCTV કેમેરા વગેરેની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...