Wednesday, March 4, 2026

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 પછી દર્શન કરવા નહીં મળે…!!!

spot_img
Share

અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક મેળાનું આયોજન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ મેળો લાખો ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ બની રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંબાજી ખાતે યોજાયેલી ભાદરવી પુનમીયા સંઘની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત આ મીટિંગમાં પહોંચ્યા હતા. આ સિવાય બનાસકાંઠા કલેકટર, એસ પી મંદિર વહીવટદાર સહીત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભાદરવી પૂનમના મેળામાં 1624 સંઘો રજીસ્ટર થયેલા છે જે મેળા દરમ્યાન અંબાજી આવશે. દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગે સુધી મેળા દરમ્યાન ખુલ્લું રખાશે.

ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી બપોર 12:30થી ગર્ભગૃહ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે. ભાદરવી પૂનમના દિવસે સાંજે 5 વાગ્યાં બાદ ચંદ્ર ગ્રહણના લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. હમણાં સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઇ ચુકી છે. સમગ્ર અંબાજીમાં CCTV કેમેરા લગાવીને 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. રાત્રીના સમય ભક્તોને તકલીફ ના પડે તે માટે માકણચમ્પા, અંબાઘાટા, વિરમપુર રોડ, અને આબુરોડના રસ્તા પર સ્ટ્રીટ લાઈટ લગાડશે. વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલાયદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે, જેમાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે.

અંબાજી ખાતે સમીક્ષા બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસ.ટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો 2025 માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

ભાદરવી પૂનમના મહામેળાને લઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમ જ તમામ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેની વિવિધ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આવવા જવા માટે વાહનો અને તે વાહનોનું યોગ્ય પાર્કિંગ પણ કરવા સહિત તેમની સુરક્ષા માટે પોલીસ CCTV કેમેરા વગેરેની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...