Monday, January 19, 2026

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા, જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની બેરોકટોક અવરજવર

spot_img
Share

અમદાવાદના જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા સાત મહિના માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, રોજિંદા ધોરણે આ બ્રિજ પર બેરોકટોક વાહનો પસાર થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરના નાગરિકો માટે મોટું કોખમ ઊભું કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામાંના લીરેલીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ ઉપરથી એએમટીએસ બસ, લક્ઝરી, AMCના કચરાના મોટા ડમ્પર, એલપીજી ગેસ સિલિન્ડરની ગાડીઓ પણ પસાર થઈ રહી છે. તંત્રનું ભારે વાહનો માટે પ્રતિબંધનું જાહેરનામું છતાં બ્રિજ પરથી બેરોકટોક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ બ્રિજના બંને છેડે કોઈ બોર્ડ કે બેનર પણ લગાવવામાં આવ્યા નથી. જો આ જર્જરિત બ્રિજ પર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન હાલ તો લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

સવાલ એ થાય છે કે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તો પછી તેનું પાલન કેમ નથી થઇ રહ્યું? શું તંત્ર આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? જો કમનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ બ્રિજની સ્થિતિ જોતા સ્પષ્ટ છે કે તે ગમે ત્યારે ઘસી પડી શકે છે અને જો તેવું થાય તો જાનમાલનું મોટું નુકસાન થઇ શકે છે.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજ પર ભારે અને મધ્યમ માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનું કારણ બ્રિજની જર્જરિત બેરિંગ અને પેડેસ્ટલનું સમારકામ કરવાનું છે. આ પ્રતિબંધ 9/8/2025 થી 8/2/2026 સુધી અમલમાં રહેશે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે, જેમાં લાંભા, જશોદાનગર અને સરખેજ તરફથી આવતા ટ્રાફિક માટે બહેરામપુરા થઈને ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિજવાળા માર્ગનો ઉપયોગ કરવાનું જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સંજોગોમાં પોલીસ અને ટ્રાફિક વિભાગની જવાબદારી બને છે કે, તેઓ તાત્કાલિક અસરથી આ જાહેરનામું કડક પાલન કરાવે. માત્ર જાહેરનામું બહાર પડવાથી કામ પૂરું થતું નથી પરંતુ તેનું અમલીકરણ પણ એટલું જ જરૂરી છે. જો આ બેદરકારી ચાલુ રહેશે, તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેના પરિણામો અત્યંત ગંભીર હશે. તંત્રએ આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ અને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...