Wednesday, March 4, 2026

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા, જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની બેરોકટોક અવરજવર

spot_img
Share

અમદાવાદના જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા સાત મહિના માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, રોજિંદા ધોરણે આ બ્રિજ પર બેરોકટોક વાહનો પસાર થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરના નાગરિકો માટે મોટું કોખમ ઊભું કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામાંના લીરેલીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ ઉપરથી એએમટીએસ બસ, લક્ઝરી, AMCના કચરાના મોટા ડમ્પર, એલપીજી ગેસ સિલિન્ડરની ગાડીઓ પણ પસાર થઈ રહી છે. તંત્રનું ભારે વાહનો માટે પ્રતિબંધનું જાહેરનામું છતાં બ્રિજ પરથી બેરોકટોક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ બ્રિજના બંને છેડે કોઈ બોર્ડ કે બેનર પણ લગાવવામાં આવ્યા નથી. જો આ જર્જરિત બ્રિજ પર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન હાલ તો લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

સવાલ એ થાય છે કે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તો પછી તેનું પાલન કેમ નથી થઇ રહ્યું? શું તંત્ર આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? જો કમનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ બ્રિજની સ્થિતિ જોતા સ્પષ્ટ છે કે તે ગમે ત્યારે ઘસી પડી શકે છે અને જો તેવું થાય તો જાનમાલનું મોટું નુકસાન થઇ શકે છે.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજ પર ભારે અને મધ્યમ માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનું કારણ બ્રિજની જર્જરિત બેરિંગ અને પેડેસ્ટલનું સમારકામ કરવાનું છે. આ પ્રતિબંધ 9/8/2025 થી 8/2/2026 સુધી અમલમાં રહેશે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે, જેમાં લાંભા, જશોદાનગર અને સરખેજ તરફથી આવતા ટ્રાફિક માટે બહેરામપુરા થઈને ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિજવાળા માર્ગનો ઉપયોગ કરવાનું જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સંજોગોમાં પોલીસ અને ટ્રાફિક વિભાગની જવાબદારી બને છે કે, તેઓ તાત્કાલિક અસરથી આ જાહેરનામું કડક પાલન કરાવે. માત્ર જાહેરનામું બહાર પડવાથી કામ પૂરું થતું નથી પરંતુ તેનું અમલીકરણ પણ એટલું જ જરૂરી છે. જો આ બેદરકારી ચાલુ રહેશે, તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેના પરિણામો અત્યંત ગંભીર હશે. તંત્રએ આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ અને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...