Sunday, September 20, 2026

અમદાવાદીઓ ખાસ ધ્યાન આપજો, આગામી દિવસોમાં ડહોળાશ વાળુ પાણી આવશે, ઉકાળીને પીવા માટે અપીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે અત્યારે પીવાનું પાણી પીતા હોય તો એકવાર તપાસ કરીને પીજો, કારણ કે શહેરમાં થોડા દિવસ પીવાનું પાણી ડહોળાશ વાળુ આવશે. સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવક વધતા રો-વોટરમાં ડહોળાશનું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે પાણી થોડું ડહોળાશ વાળુ આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, સામાન્ય ડહોળાશ વાળા પાણીને ઉકાળીને પીવાનું રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવક વધતાં રો-વોટરમાં ટર્બીડીટીનું (ડહોળાશ) પ્રમાણ સામાન્ય કરતાં વધુ આવે છે. જેથી આગામી દિવસોમાં ડહોળાશ વાળુ પાણી આવવાની શક્યતા રહેલી છે. વધુમાં રો-વોટરમાં ટર્બીડીટીનું (ડહોળાશ) પ્રમાણ સામાન્ય કરતાં વધુ હોવાના લીધે વોટર વર્કસમાં પાણીને ચોખ્ખું કરવામાં પણ સમય લાગે છે. જેથી વિતરણ કરવામાં આવતા જથ્થામાં પણ ઘટાડો થાય છે, જેથી પાણી સામાન્ય કરતાં ઓછું આવવાની શક્યતા રહેલી છે.

અમદાવાદ શહેરમાં પાણીનો જથ્થો સરદાર સરોવરની નર્મદા નહેરમાં મેળવી મ્યુનિ. કોર્પોરેશનના જાસપુર અને કોતરપુર વોટર વર્કસમાં શુદ્ધ કરી પુરો પાડવામાં આવે છે. અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ પાણીનો જરૂરી સંગ્રહ કરી લે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...