Sunday, January 25, 2026

અમદાવાદીઓ ખાસ ધ્યાન આપજો, આગામી દિવસોમાં ડહોળાશ વાળુ પાણી આવશે, ઉકાળીને પીવા માટે અપીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે અત્યારે પીવાનું પાણી પીતા હોય તો એકવાર તપાસ કરીને પીજો, કારણ કે શહેરમાં થોડા દિવસ પીવાનું પાણી ડહોળાશ વાળુ આવશે. સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવક વધતા રો-વોટરમાં ડહોળાશનું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે પાણી થોડું ડહોળાશ વાળુ આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, સામાન્ય ડહોળાશ વાળા પાણીને ઉકાળીને પીવાનું રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવક વધતાં રો-વોટરમાં ટર્બીડીટીનું (ડહોળાશ) પ્રમાણ સામાન્ય કરતાં વધુ આવે છે. જેથી આગામી દિવસોમાં ડહોળાશ વાળુ પાણી આવવાની શક્યતા રહેલી છે. વધુમાં રો-વોટરમાં ટર્બીડીટીનું (ડહોળાશ) પ્રમાણ સામાન્ય કરતાં વધુ હોવાના લીધે વોટર વર્કસમાં પાણીને ચોખ્ખું કરવામાં પણ સમય લાગે છે. જેથી વિતરણ કરવામાં આવતા જથ્થામાં પણ ઘટાડો થાય છે, જેથી પાણી સામાન્ય કરતાં ઓછું આવવાની શક્યતા રહેલી છે.

અમદાવાદ શહેરમાં પાણીનો જથ્થો સરદાર સરોવરની નર્મદા નહેરમાં મેળવી મ્યુનિ. કોર્પોરેશનના જાસપુર અને કોતરપુર વોટર વર્કસમાં શુદ્ધ કરી પુરો પાડવામાં આવે છે. અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ પાણીનો જરૂરી સંગ્રહ કરી લે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...