Friday, January 16, 2026

બે કલાકમાં મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું ! અખબારનગર સહિતના અનેક અંડરપાસ બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આજે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે. આ ઘટનાને પગલે શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે શહેરના પશ્ચિમ અને પૂર્વના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે.

શહેરના પશ્ચિમ અને પૂર્વના અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદે સમગ્ર શહેરમાં તારાજી મચાવી દીધી છે.નિકોલ, ઓઢવ અને શાસ્ત્રીનગર સહિત શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સામાન્ય વરસાદને કારણે અમદાવાદ શહેરમાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે. ઓઢવ વિસ્તારમાં, ખાસ કરીને ઓઢવ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પણ ભારે પાણી ભરાયા છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સામાન્ય હોવા છતાં, ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણામાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સ્થિતિ છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે. પ્રી-મોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચવા છતાં, શહેરમાં આવી સ્થિતિનું નિવારણ થઈ શક્યું નથી.

ભારે વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા છે, જેના કારણે લોકોને પોતાના વાહનોને છોડીને પગપાળા જવું પડી રહ્યું છે.અંડરપાસ બંધ થવાને કારણે અનેક રસ્તાઓ ડાઇવર્ટ કરવા પડ્યા છે. આજે જન્માષ્ટમીનો તહેવાર હોવા છતાં, શહેરના નાગરિકોને આ ભારે વરસાદના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...