Wednesday, March 4, 2026

બે કલાકમાં મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું ! અખબારનગર સહિતના અનેક અંડરપાસ બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આજે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે. આ ઘટનાને પગલે શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે શહેરના પશ્ચિમ અને પૂર્વના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે.

શહેરના પશ્ચિમ અને પૂર્વના અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદે સમગ્ર શહેરમાં તારાજી મચાવી દીધી છે.નિકોલ, ઓઢવ અને શાસ્ત્રીનગર સહિત શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સામાન્ય વરસાદને કારણે અમદાવાદ શહેરમાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે. ઓઢવ વિસ્તારમાં, ખાસ કરીને ઓઢવ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પણ ભારે પાણી ભરાયા છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સામાન્ય હોવા છતાં, ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણામાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સ્થિતિ છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે. પ્રી-મોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચવા છતાં, શહેરમાં આવી સ્થિતિનું નિવારણ થઈ શક્યું નથી.

ભારે વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા છે, જેના કારણે લોકોને પોતાના વાહનોને છોડીને પગપાળા જવું પડી રહ્યું છે.અંડરપાસ બંધ થવાને કારણે અનેક રસ્તાઓ ડાઇવર્ટ કરવા પડ્યા છે. આજે જન્માષ્ટમીનો તહેવાર હોવા છતાં, શહેરના નાગરિકોને આ ભારે વરસાદના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...