Tuesday, January 13, 2026

અમદાવાદમાં ડમ્પરનો કહેર : મહિલા પોલીસકર્મી અને 108નાં મહિલા કર્મીનું અકસ્માતમાં મૃત્યુ, જાણો અકસ્માત કઈ રીતે થયો?

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત ફરી રહેલી બે મહિલા કર્મચારીઓનું કમકમાટીભર્યા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કઠવાડા વિસ્તારમાં એક ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત એકટીવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 ઈમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એકટીવાને ટક્કર મારી હતી.જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઇજા થઈ હતી.ત્યાં હાજર પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં જ બંનેને સેલબી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જોકે ગંભીર ઇજાના કારણે બંનેનું હોસ્પિટલમાં જ મોત થયું હતું.સમગ્ર બનાવવા અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મળતી જાણકારી પ્રમાણે બંને મહિલા કર્મચારીઓ પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવ્યાં હતા. બંદોબસ્ત કરીને મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ડમ્પરચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...