Friday, September 12, 2025

AMC ના TDO પાસેથી મળી લાખો રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ ; ACB ની મોટી કાર્યવાહી

Share

Share

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા (AMC )ના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ (TDO) ઓફિસર કેતન રામીને ( Ketan Rami ) અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના ગુનામાં એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યા છે. 2012થી 2019 દરમિયાન તેમણે અપ્રમાણસર મિલકત વ્યવહારોમાંથી 67 લાખ 13 હજાર રૂપિયા જેટલી મસમોટી રકમ ભેગી કરી હોવાના આરોપ છે, જે તેમની આવક કરતાં ઘણી વધુ છે. ACBએ તપાસ દરમિયાન આ તથ્યોની પુષ્ટિ કરી અને રામીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાએ શહેરી વહીવટમાં ભ્રષ્ટાચારના નેટવર્કને ઉજાગર કર્યો છે.

ACBની તપાસમાં જાણવા મળ્યું કે કેતન રામીએ AMCના પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરીકે કામ કરતા સમયે મિલકત વ્યવહારોમાં અનિયમિતતાઓ કરી હતી. 2012 થી 2019 સુધીના સમયગાળામાં તેમણે અપ્રમાણસર મિલકતોના લીઝ, વેચાણ અને ટ્રાન્સફરમાં મધ્યસ્થી કરીને મોટી રકમ ભેગી કરી હતી. તપાસમાં 67 લાખ 13 હજાર રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે, જે તેમની જાહેર આવક કરતાં ઘણી વધુ હતી. ACBએ આ તથ્યોના આધારે રામીને ધરપકડ કરી અને તેમના ઘર અને ઑફિસ પરથી દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે.

તપાસના આધારે, ACBએ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં FIR નંબર 16/2025 નોંધ્યો. આરોપી કેતનકુમાર રામીની ધોરણસર ધરપકડ 9 સપ્ટેમ્બર, 2015ના રોજ કરવામાં આવી. હાલ આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે.આ કેસની શરૂઆતની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગોસ્વામીએ કરી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક કે.બી. ચૂડાસમાએ હાથ ધર્યું. હવે આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ચૌધરી સંભાળી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...