Sunday, January 18, 2026

અમદાવાદમાં પોલીસકર્મીએ કારથી રિક્ષાને ઉડાવી, કારમાંથી બિયરની બોટલ પણ મળી

spot_img
Share

અમદાવાદ : શહેરના વિશાલા સર્કલ નજીક સિટીગેટ બિલ્ડીંગની સામે એક કારચાલકે પૂરઝડપે આવતા એક રીક્ષાચાલકને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગાડીમાં સવાર વ્યક્તિ પોલીસ હોવાનું સામે આવ્યું હતું. લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો.સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વિશાલા સર્કલ પાસે સિટીગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક કારચાલકે પૂર ઝડપે આવીને રિક્ષાચાલકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને પડી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થઈને બેભાન થઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકોએ ભેગા થઈને રિક્ષાચાલકને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો, જ્યારે કારચાલકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

જો કે આ દરમિયાન લોકોને કારમાંથી પોલીસ વર્ધી અને બંદોબસ્તના પાસ તેમજ બિયરની બોટલ પણ પણ જોવા મળી હતી. કારચાલક પોલીસકર્મી હોવાનું જાણવા મળતા લોકોએ તેને પકડીને એમ. ટ્રાફીક પોલીસ સ્ટેશન પોલીસને સોંપ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસકર્મી નશામાં હતો. આ બનાવ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...