Wednesday, January 21, 2026

નવરાત્રિના 9 દિવસ પોલીસની ખાસ ડ્રાઈવ ચાલશે, કાળા કાચ કે નંબર વગરની ગાડીને પાર્કિંગ પ્લોટમાં લોક મારી દેશે

spot_img
Share

અમદાવાદ : નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ગરબાનાં આયોજન થયાં છે અને જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે. કાળા કાચની ગાડીને ત્યાં લોક કરીને કાર્યવાહી કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત હાઈકોર્ટે ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટેનું કડક શબ્દોમાં સૂચન કરતાં પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. હાલ બ્લેક ફિલ્મ, નંબરપ્લેટ વગરનાં વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. હાઇકોર્ટની ટકોર બાદ પોલીસની આ ડ્રાઈવ નવરાત્રિના 10 દિવસ સુધી ચાલશે.અત્યારે સુધીમાં અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. હવે અમદાવાદ પોલીસ ગરબા સ્થળે પર આ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નવરાત્રિમાં પોલીસ બ્લેક ફિલ્મવાળી કારને પાર્કિંગ પ્લોટમાં લોક મારી કાર્યવાહી કરશે.

આ સાથે સાથે નવરાત્રિ દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પણ પોલીસે ખાસ આયોજન કર્યું છે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આગામી તહેવારોને લઈને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. જેથી જ્યા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હશે ત્યાં પોલીસની હાજરી ફરજિયાત રહશે. સાથે ગરબાની જગ્યાએ સીસીટીવી કેમેરા, ફાયરસેફ્ટી અંગે ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ દરમિયા પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે ફરજ પર રહેશે. એટલું જ નહીં પરંતુ સી ટીમ ટ્રેડિશન પહેરવેશમાં ગરબા રમીને મહિલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખશે.

પોલીસના જણાવ્યાં પ્રમાણે શહેરમાં આ નવ દિવસ દરમિયાન ખાસ ડ્રાઈવ ચાલવાની છે. શહેરના દરેક રસ્તા પર પોલીસ તૈનાત રહેશે અને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. જો કે, કોઈ વ્યક્તિ પોલીસથી બચીને ગરબા સ્થળે પહોંચી જાય છે, તો પોલીસ ગરબાના પાર્કિટમાં પણ તપાસ કરશે અને જે પણ ગાડી નંબર વગરની હશે અથવા તો કાળા કાચ વાળી હશે તેને લોક મારી દેશે. બાદમાં જે તે વ્યક્તિએ દંડ ભરીને લોક ખોલાવવું પડશે. મહત્વની વાત એ છે કે જ કોઈ કાયદાનો ભંગ કરવાનું વિચારતા હોય તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...