Monday, October 13, 2025

નવા વાડજના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. જીગ્નેશ શાહ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા

Share

અમદાવાદ: અમદાવાદ મેડિકલ એસોસિએશનના વર્ષ 2025-26 માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના નવા પ્રમુખ તરીકે નવા વાડજના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. જીગ્નેશ શાહ 2025-26 વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે, આજ 28 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમદાવાદ મેડિકલ એસોસિએશનના આર. એમ. ફોજદાર હોલ ખાતે AMA ની નવી કમિટીની શપથ વિધિનો સમારોહ યોજાયો હતો.

આ શપથવિધિ સમારોહનો શુભારંભ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો, આ સમારોહમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રમુખ તરીકે ડો. જીગ્નેશ શાહ ઉપરાંત સેક્રેટરી તરીકે ડો. મૌલિક એસ શેઠ, ઉપપ્રમુખ તરીકે ડો. કલ્પિતા એમ. દવે અને ડો. ધવલ નાયક તથા જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો. અમૃતલાલ મહેશ્વરી અને ડો. મનજીત જે નાયક, ફાયનાન્સ સેક્રેટરી તરીકે ડો નૈતિક પટેલ સહિતનાઓની નિમણૂંક કરવામાં આવી છે.124મી ઈન્સ્ટોલેશન સેરેમનીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ 8 મુખ્ય હોદ્દેદારોએ શપથ લીધા. અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં દર વર્ષે પ્રમુખ તથા હોદ્દેદારો સહિત કુલ 32 લોકોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં 1 પ્રમુખ, 2 ઉપપ્રમુખ, એક સેક્રેટરી, 2 જોઈન્ટ સેક્રેટરી, 1 ફાઇનાન્સ સેક્રેટરી અને 1 લાઈબ્રેરી સેક્રેટરીની વરણી કરવામાં આવે છે.

આ શપથવિધિ સમારોહમાં પ્રમુખ તરીકે ડો. જીગ્નેશ શાહ અને તેઓની ટીમે 2025-26 વર્ષ માટે શપથ લીધી હતી. મુખ્ય મહેમાન તરીકે NABL ના ચેરમેન ડો. સંદિપ શાહ હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે જાણીતા સ્પાઈન સર્જન ડો. ભરત દવે અને IMA ના નેશનલ પ્રમુખ ડો. અનિલ નાયક હાજર રહ્યા હતા. શપથગ્રહણ વિધિ જાણીતા ડો. બિપિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખ ડો. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે જાગૃતિ દ્વારા ડોક્ટર-દર્દી વચ્ચેના સુમેળભર્યા સબંધો સ્થપાય, ડાયાબિટીસ કે અંગદાન જેવા વિષયો ઉપર જાહેર જાગૃતિ કાર્યક્રમ કરવા ઉપરાંત સીપીઆર ટ્રેનરોની સંખ્યા વધારવી વગેરે તેઓની પ્રાથમિકતા રહેશે. ઓર્ગન ડોનેશન બાબતે લોકોને જાગૃત કરવા અને વધુમાં વધુ લોકો તે માટે પ્રેરાય એવા પ્રયાસો કરવામાં આવશે.આ ઉપરાંત દિવાળી ઉપર ડોક્ટર ઓન કોલ પણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...